ઘરમાં વૃક્ષ અને છોડ હોવો તાજગી અને સકારાત્મતા લાવે છે. પરંતુ વાસ્તુ શાસ્ત્રમાં અમુક છોડને ઘર માટે અશુભ જણાવવામાં આવ્યાં છે. આવા અશુભ પ્લાન્ટ દુર્ભાગ્ય અને નુકસાનનુ કારણ બને છે.
આ ઈન્ડોર પ્લાન્ટ લગાવવાથી ઘરમાં થાય છે નુકસાન
અટકી જશે પ્રગતિ, થઇ જશો કંગાળ
આ છોડ ઘરમાં નકારાત્મક ઉર્જાનુ કારણ બને છે
ઘરમાં આવા ઈન્ડોર પ્લાન્ટ્સને ના લગાવશો
વાસ્તુ શાસ્ત્રમાં વૃક્ષ-છોડને ઘણુ મહત્વ આપવામાં આવ્યું છે, કારણકે તેનાથી આજુબાજુની ઉર્જા પર અસર પડે છે. આ સાથે વાસ્તુ શાસ્ત્ર ઘરની અંદર-બહાર, ઑફિસ વગેરે માટે શુભ-અશુભ વૃક્ષ-છોડના નામ, દિશા વગેરે અંગે પણ જણાવવામાં આવ્યું છે. એટલુ જ નહીં, ચીની વાસ્તુ શાસ્ત્રમાં ફેંગશુઈમાં પણ છોડને લઇને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આજે અમે તમને અમુક એવા ઈનડોર પ્લાન્ટ્સ અંગે જણાવીએ છીએ, જેનુ ઘરમાં હોવુ દુર્ભાગ્ય લાવે છે. આ છોડ ઘરમાં નકારાત્મક ઉર્જાનુ કારણ બને છે. ઘરના પરિવારજનોની પ્રગતિ અને ધનની આવક રોકે છે.
ઘરમાં સુશોભનના નામે ના કરશો આ ભૂલ
ઘરમાં સુશોભન છોડ તરીકે ઘણી વખત એવા છોડ રાખવામાં આવે છે તો નકારાત્મકતા અને દુર્ભાગ્યનુ કારણ બને છે. આ છોડ ઘરની સુખ-શાંતિ ભંગ કરે છે. આવો જાણીએ કયા છોડને ઘરમાં ના રાખવા જોઈએ.
બોનસાઈ છોડ
બોનસાઈ પ્લાન્ટને ઘરમાં ના રાખવા જોઈએ. આ છોડ ઉન્નતિમાં અડચણ બને છે. ઘરના લોકોને નોકરી-વ્યાપારમાં પ્રગતિ અટકી જાય છે.
કપાસનો છોડ
કપાસના છોડને ક્યારેય પણ ઘરમાં ના લગાવવો જોઈએ. ભલે આ છોડ ગમે તેટલો સુંદર દેખાય. પરંતુ તેને લગાવવાથી બચો. આ નકારાત્મકતા અને ઘણી મુશ્કેલીઓનુ કારણ બને છે.
કાંટાવાળા છોડ
કાંટાવાળા છોડ તો ઘર-ઓફિસમાં ક્યારેય પણ ન લગાવવા જોઈએ. આ તણાવ વધારે છે, ઝગડા કરાવે છે અને માહોલને નેગેટીવ એનર્જીથી ભરી દે છે.
મહેંદીનો છોડ
મહેંદીનો છોડ નકારાત્મક શક્તિઓને આકર્ષિત કરે છે. તેથી આ છોડને ઘરમાં ના લગાવશો.