આવતીકાલથી ગુજરાત UNLOCK 1 શરૂ થશે જેમાં તબક્કાવાર છૂટછાટો ચાલુ થશે. આ મામલે પરિવહન મંત્રી R C ફળદુએ જણાવ્યું હતુ કે અમદાવાદ ગાંધીનગર વચ્ચે ST સેવા શરૂ થશે અને કન્ટેનમેન્ટ ઝોન સિવાય તમામ વિસ્તારોમાં બસના પૈડા દોડશે.
આવતીકાલથી ગાંધીનગરમાં સરકારી કચેરીઓ શરૂ થશે
સચિવાલય સહિત સરકારી કચેરીઓ શરૂ થશે
અમદાવાદથી ગાંધીનગર ST બસ સેવા શરૂ થશે: ફળદુ
આવતીકાલથી ગાંધીનગરમાં સરકારી કચેરીઓ શરૂ થશે. સચિવાલય સહિત સરકારી કચેરીઓ શરૂ થશે. વાહન વ્યવહાર મંત્રી આર.સી ફળદુએ કહ્યું કે અમદાવાદથી ગાંધીનગર ST બસ સેવા શરૂ થશે. કન્ટેનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં બસ સેવા શરૂ થશે. 50 ટકા પેસેન્જરની કેપેસિટીથી બસ સેવા શરૂ કરાશે. પોઇન્ટ ટુ પોઇન્ટ ST બસ સેવા શરૂ થશે. પોઇન્ટ ટુ પોઈન્ટ બસ સેવા વચ્ચે ક્યાય ઉભી રહેશે નહીં અને બસમાં પેસેન્જરો ઉભા પણ રહી શકશે નહીં. મુસાફરોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે.
જાણો શું ખુલ્લુ રહેશે શું બંધ?
ગુજરાતમાં ફરી એકવાર કોરોના પોઝિટિવનો આંક 400ને પાર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના પોઝિટિવનાં 412 કેસ નોંધાયા છે. અને 27 લોકોનાં મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 621 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં કોરોના દર્દીઓનો કુલ પોઝિટિવ આંક 16356 થયો છે.
રાજ્યમાં મોતનો કુલ આંક 1007 થયો છે. રાજ્યમાં કુલ ડિસ્ચાર્જનો આંક 9230 પર પહોંચ્યો છે. એક દિવસમાં નોંધાયેલા 412 કેસમાંથી સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 284, સુરતમાં 55, વડોદરામાં 28, ગાંધીનગરમાં 12 અને અરવલ્લીમાં 6 કેસ નોંધાયા છે. આ ઉપરાંત બનાસકાંઠા-રાજકોટ-પંચમહાલ-સાબરકાંઠા 3-3, આણંદ-પાટણ-જામનગર-છોટા ઉદેપુરમાં 1-1, ભાવનગર-મહીસાગર-કચ્છ-પોરબંદર-અમરેલીમાં 1-1 કેસ નોંધાયો છે.