જો રાજ્યને સંપૂર્ણ રીતે અનલોક કરવા હોય તો પહેલા આટલી શરતોનું પાલન કરવું પડશે
જિલ્લાને અનલોક કરવા માટેની શરતો બહાર પાડવામાં આવી
ઇંડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના મહાનિર્દેશક ડોકટર બલરામ ભાર્ગવેનું નિવેદન
ત્રીજી લહેરથી બચવા માટે જિલ્લાએ કેવા કેવા પગલાં લેવા જોઈએ તેની પણ ચર્ચા કરી
જિલ્લાને અનલોક કરવા માટેની શરતો બહાર પાડવામાં આવી
ભારતમાં વધતાં કોરોનાના સંક્રમણને કારણે ઘણા રાજ્યો એ સંપૂર્ણ લોકડાઉન તથા ઘણા રાજ્યોએ આંશિક લોકડાઉન રાખ્યું હતું. પણ હવે અમુક રાજ્યોએ અનલોક પ્રક્રિયા શરૂ કરીને વેપાર ધંધા કરવાની છૂટછાટ આપવાનું શરૂ કર્યું છે. આ બધા વચ્ચે કેન્દ્ર સરકારે સંપૂર્ણ લોકડાઉન ખોલવા માટે અમુક જરૂરી શરતો મૂકી છે. એ શરત અનુસાર જો સંપૂર્ણ જિલ્લાને અનલોક કરવું હોય તો તે જિલ્લાનો કોરોના સંક્રમણનો રેટ 5 ટકાથી પણ હોવો જોઈએ અને જેટલા પણ લોકો કોરોનાના સંક્રમણની ઝપેટમાં આવી ગયા હતા તેમાંથી 70 ટકા લોકોનું વેકસીનેશન થઈ જવું જોઈએ.
ઇંડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના મહાનિર્દેશક ડોકટર બલરામ ભાર્ગવેનું નિવેદન
કેન્દ્રએ કહ્યું કે ત્રીજી લહેરથી બચવા અને દરેક જિલ્લાને સંપૂર્ણ રીતે અનલોક કરવા માટે આ બધી જ શરતોનું પાલન કરવું જ પડશે. ઇંડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના મહાનિર્દેશક ડોકટર બલરામ ભાર્ગવે કહ્યું છે કે કોરોના વાયરસમાં લોકોએ એકબીજા પ્રત્યે કેવો વ્યવહાર કરવો જોઈએ તેની જાગૃતતા લોકોમાં હોવો જોઈએ. તેમણે એ પણ કહ્યું કે જો લોકડાઉનમાં ધીમે ધીમે કરીને પ્રતિબંધો હટાવવામાં આવશે તો કોરોનાના કેસોમાં અચાનક વધારો નહીં થાય.
ત્રીજી લહેરથી બચવા માટે જિલ્લાએ કેવા કેવા પગલાં લેવા જોઈએ તેની પણ ચર્ચા કરી
ડોકટર ભાર્ગવે કહ્યું "ત્રીજી લહેરથી બચવા માટે સૌથી વધુ સરળ રસ્તો એ છે કે જે પણ જિલ્લામાં સંક્રમણનો દર 5 ટકાથી પણ ઓછો છે, તેવા જિલ્લાઓ ધીમે ધીમે ખોલવામાં આવે. પણ સાથે તેમણે એ વાતનું ધ્યાન રાખવામાં આવે કે જિલ્લાના 70 ટકા લોકોને વેક્સિન મળી ગઈ હોય અને એ 70 ટકા લોકોમાં 60 વર્ષથી ઉપરના દરેક વૃદ્ધ લોકોનો સમાવેશ કરવો. સાથે જ 45 વર્ષથી વધુ ઉંમરના એવા લોકો કે જેમને પહેલેથી ગંભીર બીમારીઓ છે, તેવા લોકોનું વેકસીનેશન થઈ જવું જોઈએ. એટલે કે જો આ લક્ષ્ય હજી સુધી પૂરું ના થયું હોય, તો ત્યાં સુધી કોઈ પણ પ્રકારે અનલોક કરવું ના જોઈએ. એક ડેટા અનુસાર 13 મે સુધીમાં દેશમાં 45થી વધુ ઉંમરના 32 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ મળી ગયો છે.