અનલોક ખુલવાની સાથે જ શ્રમિકોએ ગુજરાત તરફ દોટ મુકી છે ત્યારે કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે માટેજ અમદાવાદ કાલુપુર રેલવેસ્ટેશન પર વધતી ભીડ તંત્ર માટે ચિંતાજનક બની રહી છે.
અનલોકમાં રોજગાર માટે શ્રમિકોની ગુજરાત તરફ દોડ
મોટીસંખ્યામાં ટ્રેનો મારફતે શ્રમિકો આવી રહ્યાં છે ગુજરાત
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે શ્રમિકોનું ચેકિંગ
અનલોકમાં રોજગાર માટે શ્રમિકો ગુજરાત તરફ પરત ફરી રહ્યા છે. મોટી સંખ્યામાં ટ્રેનો દ્વારા શ્રમિકો ગુજરાત પરત આવી રહ્યા છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન બહાર મોટી સંખ્યામાં શ્રમિકો પહોંચી રહ્યા છે. જેને લઇ અમદાવાદ મનપા અલર્ટ થઇ ગયું છે.
શ્રમિકોનું રેલવે સ્ટેશન બહાર જ ટેસ્ટિંગ શરૂ કરી દેવાયું છે. અને ટેસ્ટિંગ બાદ જ લોકોને બહાર આવવા દેવામાં આવે છે. કોરોનાના કારણે લોકડાઉન લાગુ કરી દેતા શ્રમિકો પોતાના વતન પરત ફર્યા હતા. ત્યારે અનલોક થતા હવે ફરી રોજગાર માટે શ્રમિકો ગુજરાત પરત આવી રહ્યા છે.