કોરોના મહામારીના કારણે લોકડાઉનને અલગ અલગ તબક્કામાં ખોલવામાં આવી રહ્યું છે. અનલોક 4 સુધીમાં સરકારે અનેક છૂટ આપી છે. આ સાથે આજે Unlock 5.0માં 31 ઓક્ટોબર સુધીની નવી ગાઈડલાઈન્સની જાહેરાત થઈ શકે છે. ભારતમાં તહેવારોની સીઝન શરૂ થનારી છે ત્યારે સરકાર કઈ બાબતોમાં છૂટ આપશે તે મહત્વનું છે.
આજે થઈ શકે છે Unlock 5.0ની જાહેરાત
31 ઓક્ટોબર સુધીની જાહેર થશે નવી ગાઈડલાઈન્સ
સરકાર આ બાબતોમાં આપી શકે છે છૂટછાટ
ગયા મહિને ગૃહમંત્રાલયે કેટલીક છૂટ આપવાની વાત કરી હતી. સાથે જ ધીરે ધીરે કન્ટેનમેન્ટ ઝોનની બહાર અને ગતિવિધિઓ માટેની પણ છૂટ આપી. હવે ઉદ્યોગ અને તહેવારોની વાત છે તો ગ્રાહકોની માગમાં વધારાની આશા હોવાની સાથે અન્ય કેટલીક છૂટ આપવામાં આવે તેવી શક્યતાઓ છે.
ઓક્ટોબરથી લાગૂ થનારા Unlock 5.0માં મળી શકે છે આ છૂટ
સાર્વજનિક સ્થાન જેવા કે મોલ, સલૂન, રેસ્ટોરન્ટ, જિમ વગેરે પાબંદી સાથે ખોલી શકાય છે. પરંતુ સિનેમા, સ્વિમિંગ પુલ અને એન્ટરટેનમેન્ટ પાર્ક ખુલ્યા નથી. એવામાં ખાસ વાત તો એ છે કે આ બાબતોને ઓક્ટોબરથી પણ ખોલવાની પરમિશન અપાશે કે નહીં. મલ્ટીપ્લેક્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાએ અનુરોધ કર્યો છે કે પહેલાંના નિર્દેશમાં તેને 21 સપ્ટેમ્બરથી ખોલવાનો આદેશ આપ્યો હતો. પશ્ચિમ બંગાળમાં તેને પહેલાં 1 ઓક્ટોબરથી સીમિત સંખ્યામાં ખોલવાની પરમિશન અપાઈ છે. તો 1 ઓક્ટોબરથી તમામ જગ્યાએ સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક ફરજિયાત વગેરે નિયમો સાથે તેને ખોલી શકાશે કે કેમ તે પણ જોવું રહ્યું.
PIBએ એક ફેક્ટ ચેકમાં થિયેટર ખોલવાનો દાવો ખોટો ગણાવ્યો
ગયા મહિને સૂચના અને પ્રસારણ મંત્રાલયના સચિવ અમિત ખરેએ કેન્દ્રીય ગૃહમંત્રાલયને લોકોને થિયેટરમાં બેસવાનું એક સૂચન કર્યું હતું. તેના આધારે પહેલી લાઈન છોડીને એક લાઈનમાં લોકોને બેસાડવામાં આવે. પછી એક લાઈન ફરી ખાલી છોડવામાં આવે અને ફરી લોકોને બેસવા દેવામાં આવે. ગયા અઠવાડિયે એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે કડક નિયમો સાથે 1 ઓક્ટોબરથી થિયેટરોને ખોલવાની પરમિશન અપાશે. પીઆઈબીએ ફેક્ટ ચેકમાં તેને ખોટો ઠેરવ્યો છે.
બંધ થયેલા પર્યટન ક્ષેત્રને મળી શકે છે વેગ
મહામારી અને તેના બાદ લોકડાઉનના સમયે પર્યટન ક્ષેત્ર પર માઠી અસર પડી છે. એવામાં Unlock 5.0ની પ્રક્રિયા સમયે પર્યટન સ્થળો અને ટૂરિસ્ટ સેન્ટર્સને પર્યટકો માટે ખોલી શકાય છે. આવા એક પ્રયાસમાં સિક્કિમ સરકારે 10 ઓક્ટોબરથી હોટસ, હોમ સ્ટે અને અન્ય ટૂરિઝમ સાથે જોડાયેલી સેવાઓ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.