કોરોના વાયરસના કારણે માર્ચમાં લાગૂ થયેલા લોકડાઉનને અનેક તબક્કામાં અનલોક કરવામાં આવી રહ્યું છે. 1 ઓક્ટોબરથી અનલોક 5ની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. આ માટે અલગ અલગ સેક્ટર્સમાં કામ શરૂ થયું છે. આ સમયે મહારાષ્ટ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. તેઓએ જાહેર કર્યું છે કે ઓક્ટોબરના પહેલાં અઠવાડિયાથી અહીં રેસ્ટોરાં અને બાર ખોલી દેવાશે.
અનલોક 5માં અહીં મળશે છૂટ
ઉદ્ધવ સરકારનો મોટો નિર્ણય
1 ઓક્ટોબરથી શરૂ કરાશે રેસ્ટોરાં અને બાર
મહારાષ્ટ્રમાં ચાલી રહેલું લોકડાઉન 30 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે પૂર્ણ થઈ રહ્યું છે. આ સાથે જ રાજ્ય સરકારે લાંબા સમયથી બંધ રેસ્ટોરાં ને ફરીથી ખોલવાની એસઓપી તૈયાર કરી લીધી છે. આ પહેલાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે કહ્યું કે દિશા નિર્દેશોની સાથે જ આ નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સની મદદથી મુંબઈ, પુના, ઔરંગાબાદ અને નાગપુરના પ્રતિનિધિઓ સાથે વાત કરી છે.
આ બાબતોનું કરાશે પાલન
મુખ્યમંત્રીએ જણાવ્યા અનુસાર રેસ્ટોરાં ફરી ખોલવાની એસઓપી તૈયાર કરાઈ છે અને તેને સંબંધિત લોકોને મોકલવામાં આવી છે. ઠાકરેનો આ નિર્ણય 1 ઓક્ટોબરથી લાગૂ થશે. આ સાથે જ તેઓએ છૂટછાટ સમયે માસ્ક પહેરવું, સેનેટાઈઝેશન અને સોશ્યલ ડિસ્ટન્સિંગને જાળવવાની સૂચના પણ આપી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે કોરોનાના ખતરાને જોતાં તેમની સરકાર સાવધાની સાથે પગલાં લઈ રહી છે. એસઓપી પણ તૈયાર કરીને સંબંધિત વિભાગને અપાઈ ચૂકી છે. જ્યારે પણ રેસ્ટોરાં અને બાર ખૂલશે ત્યારે કોરોના સંક્રમણને ટાળવાની તમામ વાતોનું પાલન કરાશે. તેઓએ રાજ્ય સરકારની મેરા પરિવાર, મેરી જવાબદારી પહેલની વાત કરી અને સાથે લોકોને તેમાં સામેલ થવાની વાત કરી. તેઓએ તમામ હિતકર લોકોને મળીને એસઓપીને અંતિમ રૂપ આપવાનું જણાવ્યું છે.
રાજ્યના મોટા સેક્ટરથી લોકડાઉન હટશે
આ નિર્ણય બાદ રાજ્યના મોટા સેક્ટરથી લોકડાઉન હટી જશે. લોકડાઉન ખતમ થયા બાદથી અનલોકિંગની પ્રક્રિયા ખુલવાની રાહ જોઈ રહ્યા છે. રેસ્ટોરાં અને બારને શરૂ કરવાનો નિર્ણય લેવામાં રાહત મળશે. ઓછામાં ઓછા 40 ટકા લોકો હોમ ડિલિવરીનું કામ કરે છે. તેમાંથી અનેક પોતાના વતન પરત ફર્યા છે અને તેમનું કહેવું છે કે વેક્સીન નહીં આવે ત્યાં સુધી તેઓ પરત નહીં આવે.