છત્તીસગઢ સરકારે રાજધાની રાયપુરને અનલોક કરી દીધી છે. જિલ્લા પ્રશાસનની સાથે પ્રભારી મંત્રી રવિન્દ્ર ચૌબેની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આ અઠવાડિયે લોકડાઉનને હવે આગળ વધારવામાં નહીં આવે. આ બાદ પ્રશાસને અનલોકની નવી ગાઈડલાઈન પણ જાહેર કરી છે. હવે રાજધાનીમાં રાતે 8 વાગ્યા સુધી દુકાનો ખુલ્લા રહેશે.
રાયપુરમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતુ.
રેસ્ટોરન્ટ રાતે 10 વાગ્યા સુધી હોમ ડિલીવરી કરી શકે છે
10 367 એક્ટિવ કેસ છે. 387 લોકોના મોત થઈ ચૂક્યા છે.
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં લોકડાઉન તો ખતમ થઈ ગયું છે પણ કેટલાક પ્રતિબંધ હજું પણ લાગેલા છે. અનલોક દરમિયાન માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનેટાઈઝર સહિત તમામ જરુરી નિયમોનું કડકાઈથી પાલન કરવાનું કરેશે. બીજી તરફ મોટી રાહત આપતા દુકાનોને રાતે 8 વાગ્યા સુધી ખુલ્લી રાખવાને પરવાનગી મળી છે. રેસ્ટોરન્ટ રાતે 10 વાગ્યા સુધી હોમ ડિલીવરી કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાના વધતા કેસને કારણે 21 સપ્ટેમ્બરની રાતે રાયપુરમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતુ. હવે તેનો સમયપુરો થતા વ્યાપારી સંગઠોની માંગને ધ્યાનમાં રાખતા અનલોક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે હજુ સુધી રાયપુરમાં કોરોનાની સ્પીડ ઓછી થઈ નથી. રાયપુર શહેરમાં અત્યાર સુધી 31777 કોરોના સંક્રમિત મળ્યા છે. 10 367 એક્ટિવ કેસ છે. 387 લોકોના મોત થઈ ચૂક્યા છે.