કોરોના વાયરસના સતત વધતા કેસ વચ્ચે આજે દેશમાં અનલોક-4 માટેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો દ્વારા આડેધડ લેવાતા નિર્ણયો પર અંકુશ મુકવાનો પ્રયત્ન કર્યો છે.
હવે કોઈએ દેશમાં ગમે ત્યાં જવા માટે પરવાનગી લેવાની જરૂર પડશે નહીં
રાજ્યો ગમેતેમ પોતાની મરજીથી લોકડાઉન કરી શકે નહીં
રાજ્યોએ લોકડાઉન માટે કેન્દ્ર સરકારની પરવાનગી લેવી પડશે
દેશમાં ગમે ત્યાં જવા માટે પરવાનગી લેવાની જરૂર પડશે નહીં
હવે રાજ્યની અંદર અંદર અથવા એક રાજ્યથી બીજા રાજ્યમાં મૂવમેન્ટ પર હવે કોઈ પ્રતિબંધ નહીં હોય. હવે કોઈએ દેશમાં ગમે ત્યાં જવા માટે પરવાનગી લેવાની જરૂર પડશે નહીં. નાગરિકોએ કોવિડને લગતી તમામ સોશિયલ ડિસ્ટેનસિંગ ગાઈડલાઇન્સ પાલન કરવાનું રહેશે, કેન્દ્રીય ગૃહમંત્રાલય જાતે જ હવે નિગરાની રાખશે.
કેન્દ્ર સરકારે રાજ્ય સરકારની સત્તા પર અંકુશ મૂક્યો
કોરોના વાયરસના વધતાં કેસને જોતા અમુક રાજ્યોમાં આંશિક લોકડાઉન કરવામાં આવી રહ્યા છે. અમુક રાજ્યો અઠવાડિયામાં એકાદ દિવસ અને બંગાળ જેવા રાજ્યોએ મહિનામાં અમુક નિર્ધારિત દિવસોમાં લોકડાઉન કરી દેવામાં આવી રહ્યા છે ત્યારે નવી ગાઈડલાઈનમાં કેન્દ્ર સરકારે રાજ્ય સરકારની સત્તા પર અંકુશ મૂક્યો છે. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામના સ્તરે સ્થાનિક લોકડાઉન પોતાની મરજીથી લાગુ નહીં કરી શકે. આ માટે પહેલા કેન્દ્ર સરકારની પરવાનગી લેવી પડશે.
કન્ટેનમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લાગૂ
નોંધનીય છે કે જ્યારે એક જ વિસ્તારમાંથી અનેક કોરોના વાયરસના કેસ આવે તો તે વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવે છે જેથી એ વિસ્તારમાં અવર-જવર ઓછી કરી જરૂરી પગલાં ભરી શકાય ત્યારે કેન્દ્ર સરકારે ભલે રાજ્યમાં લોકડાઉનની સત્તા છીનવી લીધી હોય પરંતુ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની સત્તા જિલ્લા તંત્ર પાસે રહેશે અને કન્ટેનમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લાગૂ લોકડાઉન રહેશે.
આ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની ગાઇડલાઇન્સની ધ્યાનમાં લેવામાં આવશે. આ વિસ્તારમાં ફક્ત જીવન જરૂરિયાતની પ્રવૃત્તિઓ કરાશે. આ કન્ટેનમેન્ટ ઝોન્સની યાદી જિલ્લાના કલેકટરની વેબસાઈટ ઉપર મુકવામાં આવશે અને આ માહિતી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે પણ શેર કરવામાં આવશે.