કોરોના સંકટ વચ્ચે દેશમાં અનલોક તબક્કા વાર લાગૂ કરાઇ રહ્યું છે. જેમાં આજે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અનલોક 4 ની ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી હતી
અનલોક 4 ની ગાઈડલાઇન્સ જાહેર
ગૃહ મંત્રાલયે જાહેર કરી માર્ગદર્શિકા
શાળા કોલેજો હજુ બંધ રહેશે
અનલોક 4 ના નવા તબક્કાની માર્ગદર્શિકા ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાઇ છે. શિક્ષણ સંસ્થાનો માટે હજુ પણ ખોલવાની સરકાર દ્વારા મનાઈ ફરમાવાઈ છે. શાળા કોલેજો ખોળવાને લઈને હજુ પણ પ્રતિબંધ ચાલુ જ રહેશે
શિક્ષણ માટેની ગાઈડલાઇન્સ
21 સપ્ટેમ્બરથી શૈક્ષણિક ધોરણે કન્ટેનમેન્ટ ઝોન વિનાના વિસ્તારોમાં આ છૂટછાટ આપવામાં આવશે
50% શૈક્ષણિક અથવા બિનશૈક્ષણિક સ્ટાફના સભ્યોને રાજ્ય સરકારની પરવાનગીથી સ્કૂલે બોલાવી શકાશે જેથી ઓનલાઇન ટીચિંગ અને તેને લગતા અન્ય કામો કરાવી શકાય
ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ મરજિયાત ધોરણે પોતાની શાળાએ શિક્ષકો પાસેથી માર્ગદર્શન મેળવવા માટે જઈ શકે છે. આ માટે વાલીની લેખિત પરમિશન લેવી જરૂરી છે. આ પ્રવૃત્તિ ફક્ત કન્ટેન્મેન્ટ ઝોનની બહાર જ કરી શકાશે.
નેશનલ સ્કિલ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ITI), નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ મિશન, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ સ્મોલ બિઝનેસ ડેવલપમેન્ટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્ટરપ્રેન્યોરશિપ જેવી સ્કિલ અને એન્ટરપ્રેન્યોરશિપની લગતી તાલીમ સંસ્થાઓ ચાલુ કરી શકાશે.
PhD અને લેબવર્ક અને પ્રયોગો જરૂરી હોય તેવા ટેક્નિકલ અને પ્રોફેશનલ પ્રોગ્રામમાં જોડાયેલા પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સંસ્થાઓને ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન સાથે કન્સલ્ટ કર્યા પછી ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવશે.
ગાઈડલાઇન્સના અન્ય મુદ્દાઓ
સિનેમા હોલ્સ, સ્વિમિંગ પૂલ્સ, મનોરંજન પાર્ક્સ, થીએટર (ઓપન એર થીએટર સિવાય) જેવી જગ્યાઓ ઉપર પ્રતિબંધ લાગુ
સામાજિક, શૈક્ષણિક, ખેલકુદ, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય સમારોહ અને મેળાવડા 21 સપ્ટેમ્બરથી કરવાની સંમતિ આપવામાં આવે છે. અહીં 100થી વધુ લોકો ભાગ નહીં લઇ શકે. સૌએ ફરજિયાત માસ્ક પહેરેલું હશે. સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવશે. થર્મલ સ્કેનિંગ કરવામાં આવશે. હેન્ડ વૉશ અને સેનિટાઇઝરનો ઉપયોગ ફરજીયાત હશે.
રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામના સ્તરે સ્થાનિક લોકડાઉન પોતાની મરજીથી લાગુ નહીં કરી શકે. આ માટે પહેલા કેન્દ્ર સરકારની પરવાનગી લેવી પડશે.
મેટ્રો રેલ 7 સપ્ટેમ્બરથી શરતી ધોરણે શરુ કરી શકાશે. આ માટે હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા SOP જાહેર કરવામાં આવશે.
કન્ટેનમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લાગૂ રહેશે લોકડાઉન
મેટ્રો રેલ 7 સપ્ટેમ્બરથી શરતી ધોરણે શરુ કરી શકાશે. આ માટે હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા SOP જાહેર કરવામાં આવશે.
ઓપન એર થીએટર 21 સપ્ટેમ્બરથી ચાલુ થઇ શકશે
રાજ્યો પાસેથી લોકડાઉન લાગૂ કરવાની સત્તા કેન્દ્રે પછી લઈ લીધી, હવે રાજ્યમાં અથવા સ્થાનિક સ્તરે લોકડાઉન લગાવવા માટે કેન્દ્રની મંજૂરી લેવી પડશે.જિલ્લાનું તંત્ર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની સત્તા ધરાવશે.
આ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની ગાઇડલાઇન્સની ધ્યાનમાં લેવામાં આવશે. આ વિસ્તારમાં ફક્ત જીવન જરૂરિયાતની પ્રવૃત્તિઓ કરાશેઆ કન્ટેનમેન્ટ ઝોન્સની યાદી જિલ્લાના કલેકટરની વેબસાઈટ ઉપર મુકવામાં આવશે અને આ માહિતી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે પણ શેર કરવામાં આવશે.
65 વર્ષથી વધુ ઉંમરના લોકો, 10 વર્ષથી નાની વયના બાળકો, ગર્ભવતી મહિલાઓ, અન્ય ગંભીર બીમારીનો સામનો કરી રહેલા લોકોને જ્યારે જરૂર ન હોય તો બહાર ન નિકળવા સલાહ આપવામાં આવી છે. આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
ઈન્ટર અને ઈન્ટ્રા સ્ટેટ મૂવમેન્ટ પર હવે કોઈ પ્રતિબંધ નહીં હોય. હવે કોઈએ દેશમાં ગમે ત્યાં જવા માટે પરવાનગી લેવાની જરૂર પડશે નહીં. નાગરિકોએ કોવિડને લગતી તમામ સોશિયલ ડિસ્ટેનસિંગ ગાઈડલાઇન્સ પાલન કરવાનું રહેશે, કેન્દ્રીય ગૃહમંત્રાલય જાતે જ હવે નિગરાની રાખશે.
Metro rail will be allowed to operate with effect from September 7 in a graded manner, by the Ministry of Housing and Urban Affairs (MOHUA)/ Ministry of Railways (MOR), in consultation with MHA: Govt of India pic.twitter.com/rCPe7dzEOH
There shall be no restriction on inter-State and intra-State movement of persons and goods. No separate permission/ approval/ e-permit will be required for such movements: Govt of India #Unlock4pic.twitter.com/ejs7ig73lW