કોરોના વાયરસના સતત વધતા કેસ વચ્ચે આજે દેશમાં અનલોક-4 માટેની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. અનલોક-4માં શાળા ખોલવા ભલે મંજૂરી ન મળી હોય પરંતુ 9થી 12ના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે સરકારે મોટી છૂટ આપી છે.
શિક્ષકના માર્ગદર્શન માટે શાળાએ જવું હોય તો 9થી 12ના વિદ્યાર્થીઓને છૂટ
વાલીની લિખિત મંજૂરી જરૂરી
કન્ટેન્મેન્ટ ઝોન ન હોય ત્યાં જ આ છૂટ રહેશે
ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે મોટી છૂટ
દેશમાં કોરોના વાયરસના વધતા કેસ વચ્ચે આજે અનલોક 4ને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. અનલોક-4માં અનેક ગતિવિધિઓને મંજૂરી આપી દેવામાં આવી છે. જોકે શાળાઓને અત્યારે ખોલવાની મંજૂરી આપવામાં નથી પરંતુ ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને શિક્ષણ માટે મોટી છૂટ મળી છે.
વિદ્યાર્થીઓ પોતાની શાળાએ શિક્ષકો પાસેથી માર્ગદર્શન મેળવવા માટે જઈ શકે
ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ પોતાની શાળાએ શિક્ષકો પાસેથી માર્ગદર્શન મેળવવા માટે જઈ શકે છે. જોકે તેના માટે વાલીની લેખિત પરમિશન લેવી જરૂરી છે. આ પ્રવૃત્તિ ફક્ત કન્ટેન્મેન્ટ ઝોનની બહાર જ કરી શકાશે.
21 સપ્ટેમ્બરથી શૈક્ષણિક ધોરણે કન્ટેનમેન્ટ ઝોન વિનાના વિસ્તારોમાં આ છૂટછાટ આપવામાં આવશે
50% શૈક્ષણિક અથવા બિનશૈક્ષણિક સ્ટાફના સભ્યોને રાજ્ય સરકારની પરવાનગીથી સ્કૂલે બોલાવી શકાશે જેથી ઓનલાઇન ટીચિંગ અને તેને લગતા અન્ય કામો કરાવી શકાય
ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ મરજિયાત ધોરણે પોતાની શાળાએ શિક્ષકો પાસેથી માર્ગદર્શન મેળવવા માટે જઈ શકે છે. આ માટે વાલીની લેખિત પરમિશન લેવી જરૂરી છે. આ પ્રવૃત્તિ ફક્ત કન્ટેન્મેન્ટ ઝોનની બહાર જ કરી શકાશે.
નેશનલ સ્કિલ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ITI), નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, સ્ટેટ સ્કિલ ડેવલપમેન્ટ મિશન, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ સ્મોલ બિઝનેસ ડેવલપમેન્ટ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્ટરપ્રેન્યોરશિપ જેવી સ્કિલ અને એન્ટરપ્રેન્યોરશિપની લગતી તાલીમ સંસ્થાઓ ચાલુ કરી શકાશે.
PhD અને લેબવર્ક અને પ્રયોગો જરૂરી હોય તેવા ટેક્નિકલ અને પ્રોફેશનલ પ્રોગ્રામમાં જોડાયેલા પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સંસ્થાઓને ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન સાથે કન્સલ્ટ કર્યા પછી ચાલુ કરવાની પરવાનગી આપવામાં આવશે.
નોંધનીય છે કે કોરોના વાયરસના કારણે દેશના ભાવિનું શિક્ષણ સતત બગડી રહ્યું છે. વાયરસના કારણે આ વર્ષે લાખો વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું અને શૈક્ષણિક વર્ષ પ્રમાણે ઘણો સમય વીતી ગયા છતાં શાળાઓને મંજૂરી ન મળતા વિદ્યાર્થીઓની પરિસ્થિતિ કફોડી બની છે.
ગુજરાતમાં શાળાઓ બંધ છે તેવા ઓનલાઈન અભ્યાસ પણ એક સમસ્યા છે એવામાં શિક્ષકો પાસેથી સામેથી જો કોઈ વિદ્યાર્થીને માર્ગદર્શન લેવા જવું હોય તો તેમને છૂટ મળી ગઈ છે. જોકે કન્ટેન્મેન્ટ ઝોનમાં આવું કરી શકાશે નહીં.
ગાઈડલાઇન્સના સંપૂર્ણ મુદ્દાઓ
સિનેમા હોલ્સ, સ્વિમિંગ પૂલ્સ, મનોરંજન પાર્ક્સ, થીએટર (ઓપન એર થીએટર સિવાય) જેવી જગ્યાઓ ઉપર પ્રતિબંધ લાગુ
સામાજિક, શૈક્ષણિક, ખેલકુદ, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય સમારોહ અને મેળાવડા 21 સપ્ટેમ્બરથી કરવાની સંમતિ આપવામાં આવે છે. અહીં 100થી વધુ લોકો ભાગ નહીં લઇ શકે. સૌએ ફરજિયાત માસ્ક પહેરેલું હશે. સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવશે. થર્મલ સ્કેનિંગ કરવામાં આવશે. હેન્ડ વૉશ અને સેનિટાઇઝરનો ઉપયોગ ફરજીયાત હશે.
રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામના સ્તરે સ્થાનિક લોકડાઉન પોતાની મરજીથી લાગુ નહીં કરી શકે. આ માટે પહેલા કેન્દ્ર સરકારની પરવાનગી લેવી પડશે.
મેટ્રો રેલ 7 સપ્ટેમ્બરથી શરતી ધોરણે શરુ કરી શકાશે. આ માટે હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા SOP જાહેર કરવામાં આવશે.
કન્ટેનમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લાગૂ રહેશે લોકડાઉન
મેટ્રો રેલ 7 સપ્ટેમ્બરથી શરતી ધોરણે શરુ કરી શકાશે. આ માટે હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મંત્રાલય દ્વારા SOP જાહેર કરવામાં આવશે.
ઓપન એર થીએટર 21 સપ્ટેમ્બરથી ચાલુ થઇ શકશે
રાજ્યો પાસેથી લોકડાઉન લાગૂ કરવાની સત્તા કેન્દ્રે પછી લઈ લીધી, હવે રાજ્યમાં અથવા સ્થાનિક સ્તરે લોકડાઉન લગાવવા માટે કેન્દ્રની મંજૂરી લેવી પડશે.જિલ્લાનું તંત્ર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની સત્તા ધરાવશે.
આ માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની ગાઇડલાઇન્સની ધ્યાનમાં લેવામાં આવશે. આ વિસ્તારમાં ફક્ત જીવન જરૂરિયાતની પ્રવૃત્તિઓ કરાશેઆ કન્ટેનમેન્ટ ઝોન્સની યાદી જિલ્લાના કલેકટરની વેબસાઈટ ઉપર મુકવામાં આવશે અને આ માહિતી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સાથે પણ શેર કરવામાં આવશે.
65 વર્ષથી વધુ ઉંમરના લોકો, 10 વર્ષથી નાની વયના બાળકો, ગર્ભવતી મહિલાઓ, અન્ય ગંભીર બીમારીનો સામનો કરી રહેલા લોકોને જ્યારે જરૂર ન હોય તો બહાર ન નિકળવા સલાહ આપવામાં આવી છે.
ઈન્ટર અને ઈન્ટ્રા સ્ટેટ મૂવમેન્ટ પર હવે કોઈ પ્રતિબંધ નહીં હોય. હવે કોઈએ દેશમાં ગમે ત્યાં જવા માટે પરવાનગી લેવાની જરૂર પડશે નહીં. નાગરિકોએ કોવિડને લગતી તમામ સોશિયલ ડિસ્ટેનસિંગ ગાઈડલાઇન્સ પાલન કરવાનું રહેશે, કેન્દ્રીય ગૃહમંત્રાલય જાતે જ હવે નિગરાની રાખશે.