ગૃહમંત્રાલયે અનલૉક-1ની ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે. આ અંતર્ગત કન્ટેનમેન્ટ ઝોનની બહાર તબક્કાવાર રીતે છૂટ આપવામાં આવશે. તમામ કન્ટેન્મેન્ટ ઝોનની બહાર તમામ છૂટ મળશે. ગાઇડલાઇન્સ 1 જૂનથી 30 જૂન સુધી લાગુ રહેશે. દેશમાં રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ ચાલુ રહેશે. અનલૉક-1ને 3 તબક્કામાં વહેંચવામાં આવ્યું છે, આ તમામ તબક્કામાં કેટલીક ખાસ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે આ નિયમનો ભંગ કરશો તો તમારા પર ગુનો દાખલ કરવામાં આવશે.
ગાઈડલાઈન અનુસાર 1 જૂનથી લાગૂ થશે અનલૉક- 1
આ નિયમોનું પાલન કરવું છે ખાસ જરૂરી
કન્ટેનમેન્ટ ઝોનમાં મળી શકશે તબક્કા વાર છૂટ
હોટલ, ધાર્મિક સ્થળો, રેસ્ટોરન્ટ 8 જૂન પછી ખોલી દેવામાં આવશે. સરકારે શરતો સાથે હોટલ, રેસ્ટોરન્ટ અને ધાર્મિક સ્થળો ખોલવાની પરવાનગી આપી છે. રાજ્યો ઇચ્છી રહ્યા હતા કે મૉલ પણ ખોલવામાં આવે તો તે પણ તબક્કાવાર રીતે ખોલવામાં આવશે. જો કે, મોલમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવા જરૂરી રહેશે.
અવર જવર માટેના પ્રતિબંધમાં મળી રાહત
એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા-આવવાનો પ્રતિબંધ પણ હટાવી લેવામાં આવ્યો છે. રાજ્યમાં પણ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઇ શકાશે. પરંતુ તેમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર હજુ પ્રતિબંધ કાયમ રહેશે. આ સાથે જ ગાઈડલાઈન અનુસાર એક રાજ્યમાંથી અન્ય રાજ્યમાં જવા માટે કોઈ પાસની પણ જરૂર રહેશે નહીં.
આટલુ હજુ પણ જરૂરી
જાહેર સ્થળો પર માસ્ક ફરજિયાત રહેશે. નિયમનું ભંગ કરનારને થશે દંડ.
પ્રવાસ કરતી વખતે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી.
સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું જરૂરી.
લગ્નપ્રસંગમાં વધુમાં વધુ 50 લોકોને જ પરવાનગી.
અંતિમસંસ્કારમાં 20 લોકોને જ સામેલ થવાની છૂટ.
સાર્વજનિક સ્થળ પર થૂંકવા પર ગુનો દાખલ થશે.
જાહેર સ્થળો પર ગુટખા ખાવા પર પ્રતિબંધ.
1 જૂનથી દેશમાં આ રીતે લાગુ થશે અનલૉક- 1
એક જૂનથી 30 જૂન સુધી ગાઈડલાઈન લાગૂ રહેશે
કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર તબક્કાવાર અપાશે છૂટછાટ
8 જૂનથી શરતો સાથે ધાર્મિક સ્થળો ખૂલશે
રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ
કર્ફ્યૂમાં વધુ સાંજે 2 કલાક અને સવારે 2 કલાકની છૂટ
હોટેલ, શોપિંગ મોલ અને રેસ્ટોરાં 8મી જૂનથી શરતો સાથે ખૂલશે
અનલૉક -2માં આવી હશે છૂટછાટ
શાળા-કોલેજો અને ટ્યૂશન્સ ખોલવાની શક્યતા.
રાજ્ય સરકારો સાથે ચર્ચા કરીને શૈક્ષણિક સંસ્થાઓ ખૂલશે.
કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને આદેશ કર્યો કે વાલીઓ સાથે પણ ચર્ચા કરે.
આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર હજુ પણ પ્રતિબંધ યથાવત રહેશે.
મેટ્રોરેલ, સિનેમા, જીમ, સ્વિમિંગ પૂલ પર પ્રતિબંધ હજુ યથાવત.
બાગ-બગીચા, થીયેટર, બાર અને ઓડિટોરિયમ ખોલવા પર પણ પ્રતિબંધ.
રમત-ગમત, રાજકીય અને સામાજિક કાર્યક્રમો પર હજુ પણ પ્રતિબંધ.
અનલૉક -3માં હશે આ વાતો મહત્વની
પ્રતિબંધિત તમામ સેવાઓ ત્રીજા તબક્કામાં શરૂ કરવાનો વિચાર.
ત્રીજા તબક્કાની તારીખ હજુ પણ નક્કી કરાઈ નથી.
વ્યક્તિ અને સામાનને આંતર રાજ્યો વચ્ચે કોઈ પ્રતિબંધો નડશે નહી.
વ્યક્તિ પોતાના રાજ્યમાં કોઈપણ જિલ્લામાં આવન-જાવન કરી શકશે.
વ્યક્તિ અને સામાન માટે કોઈપણ પ્રકારના પાસની જરૂર પડે.