ફરી એકવાર દેશમાં લોકડાઉન એક મહિના માટે લંબાવવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન 5.0 ને અનલોક 1 નામ આપવામાં આવ્યું છે. ગૃહમંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન અનુસાર આ વખતે લોકડાઉન ત્રણ અલગ અલગ તબક્કામાં ખોલવામાં આવશે. અનલોક 1 માં સૌથી મોટી રાહત એ છે કે હવે એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા માટે કર્ફ્યુ પાસ અથવા કોઈપણ પ્રકારની પરવાનગી લેવાની જરૂર રહેશે નહીં. જોકે, દેશમાં રાતના 9 થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે.
એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા કર્ફ્યુ પાસ નહીં બનાવવો પડે
દરેક રાજ્ય ઈચ્છે તો પોતાના નિયમ બનાવી શકે પણ...
જોકે બીજા રાજ્યની સફર રાતના9થી 5 વાગ્યામાં નહીં થઈ શકે
ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી નવી માર્ગદર્શિકા અનુસાર એક રાજ્યથી બીજા રાજ્યમાં લોકો અને માલની આવન જાવન પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. આ સાથે તે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવે કોઈ પણ રાજ્યમાં જવાની પરવાનગીની જરૂર રહેશે નહીં. જો કે આ સમયગાળા દરમિયાન એક જિલ્લાથી બીજા જિલ્લામાં જતા લોકોએ સામાજિક અંતર જાળવવું પડશે. આ સાથે રાજ્યોને પણ આઝાદી આપવામાં આવી છે કે જો તેઓને લાગે કે કોઈ પ્રતિબંધ લાદવો જોઇએ તો તેઓ તેને લાદી શકે છે, પરંતુ તેની જાણ પહેલાથી જ કરવી પડશે.
નોંધપાત્ર વાત એ છે કે લોકડાઉનના ચોથા તબક્કામાં એક રાજ્યથી બીજા રાજ્યમાં જવાની છૂટ હતી પરંતુ આ માટે ડીએમ પાસેથી પરવાનગી લેવી પડતી હતી. આ સાથે એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા માટે કર્ફ્યુ પાસ બનાવવી પડતી હતી. અનલોક 1 માં સરકારે આવા નિયમોમાં છૂટછાટ આપી છે.