ભગવાન શંકરને દેવોના દેવ તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન જોવામાં થોડા વિચિત્ર લાગે છે જેમ કે ગળામાં સર્પમાળા શરીર પર વાઘની ખાલ રૂદ્રાક્ષની માળા તથા હાથમાં ત્રિશૂળ અને ડમરૂં. આ તમામ બાબતો વચ્ચે શિવની આરતીમાં પણ ભસ્મનો ઉપયોગ કરવામાં આવે છે. ભગવાન શંકરની પૂજામાં ભસ્મનું વિશેષ મહત્વ રહેલું છે.
ભગવાન શંકરને ભસ્મ ચઢાવવાનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં પણ કરાયેલ છે. જેની એક પૌરાણિક કથા છે જેના વિશે અમે આપને આજે જણાવીશું. જ્યારે દેવી સતીએ પોતાના શરીરનો ત્યાગ કર્યો અને ભગવાન શિવ તેમના શરીરને હાથમાં લઇને ફરી રહ્યા હતા.
વિષ્ણુ દ્વારા છિન્ન-ભિન્ન કરાયેલ દેવીના શરીરના ટુકટા જે સ્થળે પડ્યા ત્યાં શક્તિપીઠની સ્થાપના થઇ. આ દરમિયાન ભગવાન શંકરે સંતાપ દૂર કરવા માટે દેવી પાર્વતીના શરીરને ભસ્મમાં પરિવર્તીત કર્યું અને દેવીની અંતિમ નિશાની માનીને તેને પોતાના શરીર પર લગાવી. જેનો ઉલ્લેખ આપણા પૌરાણિક શાસ્ત્રોમાં પણ જોવા મળે છે.
આ ભસ્મને લઇને તેમ પણ કહેવામાં આવે છે કે જે પ્રકારે ભગવાન શંકર વિનાશ અને મૃત્યુના દેવતા છે તે રીતે તેઓ દુનિયાને મોહ-માયા ત્યાગ કરવાનો પણ સંદેશ આપે છે અને જીવનના અંતમાં બધુ જ રાખ થઇ જાય છે તેવો બોધ આપે છે. શરીર પર ભસ્મ લગાડવાનો અર્થ થાય છે જીવનમાં ક્યારેય ઘમંડની આવશ્યકતા નથી કારણ કે એક દિવસ બધુ જ ભસ્મ થઇ જવાનું છે.