શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાએ કરી દીકરીઓ માટે શિક્પાષણની નવી પહેલ. પાટીદાર દીકરીઓ હવે એક રૂપિયામાં UPSCની તૈયારી કરી શકશે.
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાની પહેલ
દીકરીઓ નજીવી ફીમાં UPSCની કરશે તૈયારી
સમાજની દીકરીઓ માટે માત્ર એક રૂપિયો જ ફી
રાજ્યમાં પારીદાર સમૂદાયે શિક્ષણની આહલેક જગાવી હોય તેમ અમદાવાદના સરદાર ધામમાં પાટીદાર યુવાઓને રાહત દરે શિક્ષણ,આવાસ,લાયબેરીની સુવિધાયુક્ત અંદાજે 200 કરોડના ખર્ચે અતિ આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવી છે. ત્યારે બાદ, એક જ મહિનાની અંદર સુરતમાં પણ પાટીદાર સમૂદાયના નવ નિર્મિત સરદાર ધામનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી કરાવ્યો. પાટીદાર સમૂદાયનું એક જ મિશન છે શિક્ષણ.અને એવું ઉચ્ચ શિક્ષણ કે UPSC-GPSC કક્ષાની તૈયારીઓ વિધાર્થીઓને એક જ કેમ્પસમાં કરવા મળી રહે. હવે આવી જ પહેલ કડવા પાટીદારોની સૌથી મોટી સંસ્થા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાએ કરી છે.
સ્પર્ધાત્મક તૈયારીઓ તરફ વળશે દીકરીઓ
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાએ કડવા પાટીદારોની સૌથી મોટી સંસ્થા છે. સંસ્થાએ પાટીદાર સમાજની દીકરીઓ માટે મોટી પહેલ આદરી છે. પાટીદાર દીકરીઓ હવે એક રૂપિયામાં UPSCની તૈયારી કરી શકશે. અને વિવિધ વિષયના નિષ્ણાંતો પરીક્ષાની તૈયારી કરાવશે. સમાજમાં શિક્ષણનો સ્તરઉંચો લાવવા અને દીકરીઓ સ્પર્ધાત્મક પરીક્ષા માટે મનોબળ મજબૂત બનાવે એ ઉપરાંત પણ આર્થિક રીતે વિદ્યા અભ્યાસ માટે સમાજની દીકરીઓને કે તેમના વાલીઓને કોઈ અગવડ ના પડે તેવું આયોજન શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાએ કર્યું છે.
સમાજે જગાવી છે શિક્ષણની આહલેક
પાટીદાર સમાજના જ્યારે પણ સામાજિક સંમેલનો મળ્યા છે ત્યારે સમાનતા અને સમરસતા માટે પહેલ થઇ છે.સમાજમાં કડવા- લેઉવાના વાડા દૂર કરવા ઉપરાંત લગ્નપ્રથામાં પણ સમાજના વર્ણ નો ભેદ ના રહે તેવો પ્રયાસ સમાજના આગેવાનોનો રહ્યો છે.ત્યારે પાટીદાર યુવકોને ઉચ્ચશિક્ષણ તરફ પ્રેરવા માટે અમદાવાદમાં નિર્માણ પામેલા સરદાર ધામ બાદ, સુરતના સરદાર ધામના શિલાન્યાસ એ બાબતની ગવાહી આપે છે કે, પાટીદાર સમાજે હવે શિક્ષણની આહલેક જગાવી છે. જેમાં સમાજની દીકરીઓને પણ બાકાત ના રાખતા, તેઓને પણ આવરી લઇ ઉચ્ચ શિક્ષણ તરફ વાળવા આ પ્રયાસ સરાહનીય નહિ અન્ય સમાજ માટે અનુકરણીય પણ છે