ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાની ઝપેટમાં રાજકીય નેતાઓ પણ આવી રહ્યાં છે. ઊંઝા APMCના વાઇસ ચેરમેન શિવમ રાવલ છેલ્લા ઘણા સમયથી કોરોના સામે જંગ લડી રહ્યાં હતા.
ત્યારે તેઓ આજરોજ કોરોના સામેની જંગમાં હારી ગયા. કોરોના સામે જંગ લડી રહેલા શિવમ રાવલના નિધનના સમાચારથી સમગ્ર ઊંઝા પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે.
ઊંઝા APMCના વાઇસ ચેરમેન શિવર રાવલનું સારવાર અમદાવાદ સ્ટ્રલિંગ હોસ્પિટલ ખાતે ચાલી રહી હતી. તેઓ છેલ્લા દોઢ મહિનાથી અહીં સારવાર લઇ રહ્યાં હતા. તેમના લંગ ટ્રાન્સપ્લાન્ટ માટે એર એમ્બ્યુલેન્સ પણ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. જો કે મોડી રાત્રે તબિયત લથડતા 2 વાગે નિધન થયું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.