ઈસ્લામિક સ્ટેટ અને અલ-કાયદા અંગે યુએને એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં ભારતમાં 150થી 200 લોકો આ આતંકી સંગઠન સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે.
ઈસ્લામિક સ્ટેટ અને અલકાયદાને લઈને યુએનમાં રિપોર્ટ જાહેર કરાયો
ISIS અને અલકાયદના આતંકી સંગઠનો અનેક દેશમાં છે ફેલાયેલા
પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મ્યાંનમારમાં ફેલાયેલા હોવાનો રિપોર્ટ
આ રિપોર્ટમાં અન્ય એવી માહિતી સામે આવી છે કે, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર સિવાય ભારતના કર્ણાટક અને કેરળમાં આ સંગઠન સક્રિય હોવાનું સામે આવ્યું છે.
ભારતમાં હુમલો કરવાનું ષડયંત્ર કરી રહ્યા હોવાનો થયો ખુલાસો
આ ઉપરાત આ સક્રિય સંગઠનો ભારતમાં હુમલો કરવાનું ષડયંત્ર કરી રહ્યા છે.23 જુલાઈમાં યુએનની અનાલિટિકલ રિપોર્ટમાં આ ચોંકાવનારા ખુલાસા કરાયા છે. ભારતમાં કેરળ અને કર્ણાટક હુમલાની મોટી યોજના બનાવી રહ્યા છે.
આતંકીઓ આર્થિક સંકટના કારણે સફળ ન થઇ શક્યા આતંકીઓ
યુએનની મોનટરીંગ ટીમના જણાવ્યા પ્રમાણે આ આતંકી સંગઠનો પર કોરોનાના પ્રભાવ પડ્યો છે. રિપોર્ટમાં કોરોનાના કારણે આતંકી સંગઠન પર પ્રભાવ પડ્યો હોય તેમ સામે આવ્યું છે..આ આતંકીઓ આર્થિક સંકટ અને પોલીસના ચાંપતા બંદોબસ્તના કારણે હુમલો કરવાની યોજના સફળ કરી શક્યા નથી.