પર્યાવરણને બચાવવા માટે ભારતે અત્યાર સુધીમાં જે પગલા ઉઠાવ્યા છે, તેની સંયુક્ત રાષ્ટ્રે પ્રશંસા કરી છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટેનિયો ગુટરેસનું કહેવું છે કે ક્લાઇમેટ ચેન્જનો સામનો કરવા માટે ભારત એક મહત્વપૂર્ણ રોલ નિભાવી રહ્યું છે. સાથે જ અન્ય દેશોને પણ દિશા દર્શાવી રહ્યું છે.
સંયૂક્ત રાષ્ટ્રના મહાસચિવનું કહેવું છે કે ભારતે સોલર એનર્જીના ક્ષેત્રે ઐતિહાસિક પગલા ઉઠાવ્યા છે. એન્ટેનિયો ગુટરેસનું કહેવુ છે કે સોલરના ક્ષેત્રમાં ભારતે રોકાણ વધાર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારત 'ક્લીન ઇન્ડિયા' કેમ્પેન ચલાવી મોટુ પગલુ ઉઠાવી રહી છે. તેની અસર પણ મોટી રહી છે. સંયુક્ત રાષ્ટ્રમાં આ વખતે ક્લાઇમેટ ચેન્જ પર પણ એક સેશન કરવામાં આવશે, જેમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન આપશે.
સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં હવે ગ્રીન એનર્જીનો ઉપયોગ
નોંધનીય છે કે, સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં હવે ગ્રીન એનર્જીનો ઉપયોગ કરવામાં આવશે. ભારત દ્વારા સંયુક્ત રાષ્ટ્રને ભેટમાં આપવામાં આવેલ ગાંધી સોલર પાર્ક 24 સપ્ટેમ્બરે કામ કરવા લાગશે. તે જળવાયુ પરિવર્તનથી લડવામાં ભારતની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. લગભગ 10 લાખ ડોલરના ખર્ચે લગાવવામાં આવેલ 193 સૌર પેનલોથી 50 કિલોવોટ વીજળી પેદા થશે. સંયુક્ત રાષ્ટ્રમાં કુલ 193 સભ્ય દેશ છે. અને પ્રત્યેક સોલર પેનલ પ્રત્યેક સભ્ય રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરશે.
ગાંધી પીસ ગાર્ડનનું દાન
ભારત 150 વૃક્ષોથી બનેલા ગાંધી પીસ ગાર્ડનનું પણ દાન કરી રહ્યું છે, જે ઓલ્ડ વેસ્ટબરીના એક વિશ્વવિદ્યાલય પરિસરમાં એક અન્ય પર્યાવરણીય ભેટ રૂપે લગાવવામાં આવશે. ગાંધી જયંતી ઉજવવા માટે સંયુક્ત રાષ્ટ્ર મંગળવારે એક વિશેષ ટપાલ ટિકિટ પણ જાહેર કરશે. નોંધનીય છે કે, સૌર ઉર્જાના ક્ષેત્રમાં ભારતે ઘણા મોટા પગલા ઉઠાવ્યા છે. 2016માં વૈશ્વિક સૌર ઉર્જા ગૃપની શરૂઆત પણ ભારતે જ કરી હતી, જેમા 100થી વધારે દેશ સામેલ છે.