પાકિસ્તાન તરફથી સતત જમ્મુ-કાશ્મીરનાં મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ (UN) પર ઉઠાવવામાં આવી રહ્યો છે ત્યારે એક વાર ફરીથી પાકિસ્તાનને નિરાશા જ હાથ લાગી છે. સંયુક્ત રાષ્ટ્રનાં મહાસચિવ એંટોનિયો ગુટેરેસ તરફથી પાકિસ્તાનને અંતે નિરાશા જ હાથ લાગી.
જમ્મુ-કાશ્મીર મુદ્દે UN મહાસચિવનું મોટું નિવેદન
ભારત-પાકિસ્તાન અંદરોઅંદર મુદ્દાનું નિરાકરણ લાવે
પાકિસ્તાન પ્રતિનિધિએ UN મહાસચિવને કરી હતી અપીલ
ગુટેરેસનું કહેવું છે કે,
'જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) નો મુદ્દો ભારત-પાકિસ્તાન પરસ્પર વાતચીત કરીને નિરાકરણ લાવે. સંયુક્ત રાષ્ટ્ર (United Nations) મહાસચિવે આ મુદ્દા પર મધ્યસ્થતા કરવા પર સ્પષ્ટપણે ના કહી દીધી છે અને જવાબમાં કહેવામાં આવ્યું કે, ભારત જો કહેશે તો વિચાર કરવામાં આવશે.'
હકીકતમાં, સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનની પ્રતિનિધિ મલીહા લોધી તરફથી એંટોનિયો ગુટેરેસની સામે આ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો હતો. હવે એંટોનિયો ગુટેરેસનાં પ્રવક્તા સ્ટેફિન દુજારેક તરફથી નિવેદન આપવામાં આવ્યું કે, ભારત-પાકિસ્તાને કોઇ પણ પ્રકારનાં આક્રમક વલણથી બચવું જોઇએ અને બંને દેશોને પરસ્પર વાત કરીને મુદ્દાનું નિરાકરણ કરવું જોઇએ.
આપને જણાવી દઇએ કે એંટોનિયો ગુટેરેસે ગયા મહીને G7 સમિટમાં પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી, આ સિવાય તેઓ પાકિસ્તાની વિદેશ મંત્રી મહમૂદ કુરૈશીને પણ મળ્યાં હતાં. બુધવારનાં રોજ મલીહા લોધીએ યૂએન મહાસચિવ સાથે મુલાકાત કરી અને જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. આ મુલાકાત બાદ જ્યારે મીડિયા તરફથી સવાલ કરવામાં આવ્યાં તો UN મહાસચિવનાં પ્રવક્તાએ કહ્યું કે, 'મધ્યસ્થતાને લઇને સંયુક્ત રાષ્ટ્રની સ્થિતિ પહેલા જેવી જ છે. તેઓએ કહ્યું કે, જો બંને પક્ષો તરફથી એવી અપીલ કરવામાં આવશે તો આ મુદ્દે નિર્ણય લેવાશે.'