જમ્મુ કાશ્મીરમાં કુલગામ જિલ્લાના વાનપોહ વિસ્તારમાં રવિવારે થયેલા આતંકી હુમલાની જવાબદારી યૂનાઈટેડ લિબરેશન ફ્રન્ટે લીધી છે.
આ હુમલો હિંદુત્વવાદી તાકતો તરફથી મુસ્લિમોને લિંચ કરવાના જવાબ-ULF
બહારના લોકો અમારી ધરતી પરથી ચાલ્યા જાય નહીંતર તેનું પરિણામ ભોગવે- ULF
બહારના લોકો પર 24 કલાકમાં 3 આતંકી હુમલા, આ મહિનામાં 11ની હત્યા
આ હુમલો હિંદુત્વવાદી તાકતો તરફથી મુસ્લિમોને લિંચ કરવાના જવાબ-ULF
સોશિયલ મીડિયા પર સર્કુલેટ થઈ રહેલા નિવેદનમાં લિબરેશન ફ્રન્ટે કહ્યું કે આ હુમલો હિંદુત્વવાદી તાકતો તરફથી મુસ્લિમોને લિંચ કરવાના જવાબમાં છે. લિબ્રેશન ફ્રન્ટે કહ્યું કે ગત વર્ષમાં બિહારમાં જ 200 મુસ્લિમોને લિંચ કરી મારી નંખ્યા છે. એટલું જ નહીં ULFએ જમ્મુ કાશ્મીરની બહારના લોકોને પાછા જવાની ધમકી આપી છે. ULFના પ્રવક્તા ઉમર વાનીએ કહ્યું કે અમે પહેલા પણ ચેતવણી આપી ચૂક્યા છીએ કે બહારના લોકો અમારી ધરતી પરથી ચાલ્યા જાય નહીંતર તેનું પરિણામ ભોગવે. નિર્દોષ નાગરિકો પર ભારતીય આર્મી તરફથી કરવામાં આવેલા અટેકના જવાબમાં આ હુમલો કર્યો છે.
બહારના લોકો અમારી ધરતી પરથી ચાલ્યા જાય નહીંતર તેનું પરિણામ ભોગવે- ULF
આની પહેલા ULF અને ધ રેજિસ્ટેન્સ ફોર્સના સ્થાનીય નાગરિકો અને બહારના લોકો પર હુમલાની જવાબદારી લીધી હતી. રવિવારે રાતથી જ સુરક્ષા દળ કાશ્મીર ઘાટીમાં બહારના મજૂરોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવામાં લાગ્યા છે. ગાંદરબલ, સોપોર અને દક્ષિણ કાશ્મીરના અન્ય વિસ્તારોમાં મજૂરોને સુરક્ષા દળ સુરક્ષિત સ્થાનો પર લઈ જઈ રહ્યા છે. એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે ઘણા બહારના મજૂરોને સુરક્ષિત સ્થાનો પર લઈ જવાયા છે. 3 બિન સ્થાનીય મજૂરોને કુલગામના વાનપોહ વિસ્તારમાં આતંકીઓને નિશાન બનાવ્યા હતા. આમાંથી 2ના તાત્કાલીક મોત થયા હતા. જ્યારે એકને અનંતનાગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
બહારના લોકો પર 24 કલાકમાં 3 આતંકી હુમલા
ગત 24 કલાકમાં કાશ્મીર ઘાટીમાં બહારના લોકો પર થયેલો આ ત્રીજો હુમલો હતો. જેમાં બિહારનો એક સ્ટ્રીટ વેન્ડર અને યુપીનો એક કારપેન્ટરની આતંકીઓએ ગોળી મારી હત્યા કરી દીધી છે. આ બન્ને હુમલા શનિવારે સાંજે કરવામાં આવ્યા હતા. આ મહિનામાં 11 નાગરિકોને આતંકીઓએ મોતને ઘાટ ઉતાર્યા છે. પોલીસે બિન મુસ્લિમ વિસ્તારની સુરક્ષા વધારી છે અને બહારના લોકોની યાદી તૈયાર કરવાનું શરુ કર્યુ છે. જેથી તેમને સુરક્ષિત કરી શકાય.