દિલ્હીના સિંધુ બોર્ડર પર ખેડૂતની બેઠક રદ્દ થઈ ગઈ છે. બીજી તરફ ખેડૂતોના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે, જ્યાં સુધી સરકાર ખેડૂતોની માંગને માનતી નથી ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
4 ડિસેમ્બરે સંયુક્ત ખેડૂત મોર્ચાની બેઠક યોજાશે
સંયુક્ત મોરચા આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી
પંજાબના 32 જથાબંધીઓની આજે બેઠક યોજાશે
4 ડિસેમ્બરે સંયુક્ત ખેડૂત મોર્ચાની બેઠક યોજાશે
આ બાજુ સંયુક્ત ખેડૂત મોર્ચાની બેઠક રદ્દ થવાના સવાલ પર રાકેશ ટિકૈતે કહ્યું કે, ખેડૂતોની બેઠક અગામી 4 ડિસેમ્બરે થવાની છે. આજની બેઠક ખેડૂત સંગઠનોની વચ્ચે છે. અમારું આંદોલન ત્યારે જ પૂર્ણ થશે જ્યારે અમારી તમામ માંગોને સંપૂર્ણ રીતે માનવામાં આવે. ટિકૈતે પોતાની માંગો પુનઃ ઉચ્ચારતાં કહ્યું કે, 50 થી 55 હજાર સુધી કેસો જે આંદોલન દરમિયાન કરવામાં આવ્યાં છે. જે પાછા ખેંચવામાં આવે, એમએસપી અંગે ગેરેન્ટી કાયદો બને, જે ખેડૂતોએ આંદોલન દરમિયાન જીવ ગુમાવ્યો છે. તેમને સહાય મળે, હવે આ અમારા મુખ્ય મુદ્દા છે. સરકારે તેના પર વાત-ચીત કરવી જોઈએ
સંયુક્ત મોરચા આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી
ખેડૂત નેતા દર્શનપાલ સિંહને બેઠક રદ્દ થવા પર પોતાનું નિવેદન આપતાં કહ્યું કે, આજે 32 ખેડૂત સંગઠન અને એ લોકે જે સરકાર સાથે વાતચીત માટે જાય છે. તેમની બેઠક બોલાવવામાં આવી છે. ભુલથી ઘોષણા થઈ હતી કે, સંયુક્ત ખેડૂત મોર્ચાની બેઠક છે. અમારા લોકો વિરૂદ્ધ લગાવવામાં આવેલા કેસ , એમએસપીની કમિટી માટે ચર્ચા કરવી પડશે
પંજાબના 32 જથાબંધીઓની આજે બેઠક યોજાશે
પંજાબના 32 જથ્થાબંધીઓની આજે બેઠક યોજાશે. આ બેઠક 1 વાગ્યે થશે. જણાવવામાં આવી રહ્યું છે કે, પંજાબ જથાબંધી કૃષિ કાયદા પાછા પરત ખેંચ્યા બાદ આંદોલન પૂર્ણ કરવાના પક્ષમાં છે. બીજી તરફ હરિયાણા ખેડૂત નેતાઓની પણ આજે બેઠક યોજાશે
હરિયાણાના સીએમએ પણ બેઠક રદ્દ કરી
હરિયાણાના ખેડૂત નેતાઓની બેઠક મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર સાથે થવાની હતી. પરંતુ મુખ્યમંત્રી ઓફિસ તરફથી પહેલાથી કહેવામાં આવ્યું હતું કે, ખેડૂતો વાત-ચીત પહેલા આંદોલન પૂર્ણ કરવાનું એલાન કરવું પડશે