બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં હવે અમુક મહિનાઓનો જ સમય બાકી છે અને આજે કૃષિ આંદોલનનું નેતૃત્વ કરી રહેલા સંયુક્ત કિસાન મોરચા દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બંગાળ ચૂંટણી પહેલા સંયુક્ત કિસાન મોરચાનું એલાન
12 મી માર્ચે ખેડૂતો કરશે મોટી રેલીનું આયોજન
15 માર્ચે સડક પર ઉતરી રેલવે સ્ટેશનોની બહાર અનશનનું છે આયોજન
સંયુક્ત કિસાન મોરચા દ્વારા બંગાળમાં આગામી 12 માર્ચે એક વિશાળ રેલીનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને નક્કી કરવામાં આવ્યું છે કે ચૂંટણી ધરાવતા રાજ્યોમાં કૃષિ કાયદાઓની વિરુદ્ધમાં વિરોધ અભિયાનને વધુ તેજ કરવામાં આવશે. આ સાથે જ લોકોને કહેવામાં આવશે કે મોદી સરકાર ખેડૂતોની સાથે યોગ્ય વ્યવહાર નથી કરી રહી.
10 ટ્રેડ સંગઠનોની સાથે થઈ છે બેઠક
આ મોરચાના પદાધિકારી યોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે 10 ટ્રેડ સંગઠનોની સાથે અમારી મિટિંગ થઈ છે અને સરકાર જાહેર ક્ષેત્રોનું જે ખાનગીકરણ કરી રહી છે, તેના વિરોધમાં આખા દેશમાં 15 માર્ચે ખેડૂતો અને મજૂર કામદાર વર્ગ સડક પર ઉતરશે અને રેલવે સ્ટેશનની બહાર જઈને ધરણાં પ્રદર્શન કરશે.
સંગઠન તરફથી નક્કી કરવામાં આવ્યું છે કે 6 માર્ચના રોજ કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ વે જાયમ કરવાનું એલાન પણ કરી નાખવામાં આવ્યું છે અને એમ પણ જાહેર કરવામાં આવ્યું છે કે આ માર્ગને લગભગ 6 કલાક સુધી બ્લોક રાખવામાં આવશે.
સરકાર દ્વારા આંદોલનને સમાપ્ત કરવાનો પ્રયાસ કરાયો
એક ખેડૂત નેતાએ નિવેદનમાં કહ્યું હતું કે ખેડૂત આંદોલનને સમાપ્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, કેન્દ્ર સરકારમાં હરિયાણાના જે ત્રણ મિનિસ્ટર છે તેમના ગામડાઓમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, ટૂંક સમયમાં જ આંદોલન સફળ થઈ જશે અને ખેડૂતો જીતીને બહાર આવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.