શ્રાવણ મહિનામાં ભૂલથી પણ બહારની ફરાળી ચીજવસ્તુઓ ખાવાની આદત હોય તો ચેતજો. નહીં તો તમારો ઉપવાસ તૂટી જશે. જાણો કેમ...
મકાઈના લોટમાંથી ફરાળી પેટીસ બનાવતું યુનિટ ઝડપાયું
લોકોની આસ્થાની સાથે-સાથે આરોગ્ય સાથે પણ ચેડા
ઉદ્યોગોમાંથી વપરાતા લોટની ફરાળી પેટીસ બનતી
જો તમે પણ શ્રાવણ મહિનામાં ફરાળી પેટીસ બહારથી લાવતા હોય તો ચેતી જજો. નહીં તો વેપારી તમારો ઉપવાસ તોડી નાખશે. કારણ કે રાજકોટમાં આસ્થા સાથે ચેડા કરાતા હોવાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ફરાળી પેટીસના નામે મકાઈની પેટીસ પધરાવવામાં આવી રહી છે. ઉદ્યોગોમાંથી વપરાતા લોટની પેટીસ બની હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
રાજકોટમાં લોકોની આસ્થા સાથે થઇ રહ્યાં છે ચેડા!
મહત્વનું છે કે, શ્રાવણ મહિનો એટલે શિવની આરાધનાનો મહિનો. સામાન્ય રીતે મોટા ભાગે ભક્તો આખોય શ્રાવણ મહિનો ઉપવાસ કરતા હોય છે. ત્યારે સૌ કોઇ આ શ્રાવણ મહિનામાં ફરાળી વાનગી જ ખાતા હોય છે. પરંતુ ક્યારેક લોકોને બહારની ફરાળી વાનગી ખાવાની પણ આદત હોય છે. ત્યારે બહારથી જો ફરાળી પેટીસ લાવતા હોય તો ચેતી જજો.
ઉદ્યોગોમાંથી વપરાતા લોટની ફરાળી પેટીસ બનતી
કારણ કે રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડા દરમ્યાન મકાઈના લોટમાંથી ફરાળી પેટીસ બનાવતું એક યુનિટ ઝડપાયું છે. શહેરના જલારામ ચોકમાં પેટીસ બનાવતા યુનિટ પર આરોગ્ય વિભાગે દરોડા પાડતા યુનિટમાંથી મોટી માત્રામાં મકાઈના લોટમાંથી ફરાળી પેટીસ બનતી હોવાનું ઝડપાયું. એટલે કે, ઉદ્યોગમાં વપરાતા લોટથી પેટીસ બનતી હતી.
સળગતા સવાલ
લોકોની આસ્થા સાથે રમત કેમ?
મકાઈની પેટીસને કેમ ફરાળી પેટીસ ગણાવી?
લોકોનો ઉપવાસ તોડવાનો અધિકાર તમને કોણે આપ્યો?
કેટલા સમયથી મકાઈની પેટીસ વેંચવામાં આવતી હતી?
લોકોની આસ્થાની સાથે સાથે આરોગ્ય સાથે પણ ચેડા કેમ?
પૈસા ખર્ચ્યા બાદ પણ લોકોને સારું ખાવાનું કેમ નથી અપાતું?
શ્રાવણ માસમાં લોકોની આસ્થા સાથે ચેડા કરવાનો અધિકાર તમને કોણે આપ્યો?