હાલ લગ્નની મૌસમ પૂરબહારમાં છે ત્યારે જૂનાગઢમાં એક અનોખા લગ્ન યોજાયા છે. આવો જાણીએ એ લગ્ન વિશે.
લગ્ન માટે શું જોઈએ? સમજણ
માનવતાને મહેકાવતું કાર્ય
ખામીને ખૂબી બનાવી જીવવાનો નિર્ધાર
અત્યાર સુધીમાં 1800 જેટલી કન્યાઓના કરિયાવર સાથે લગ્ન કરાવી સેવાની સુવાસ ફેલાવનાર સત્યમ સેવા યુવક મંડળે પ્રજ્ઞાચક્ષુ દીકરીના લગ્ન કરાવ્યા છે. બી,એડ સુધી અભ્યાસ કરેલ દીકરીના લગ્ન પ્રાથમિક શિક્ષક સાથે કરવામાં આવ્યા છે.
કરિયાવરમાં 78 વસ્તુઓ આપી લગ્ન સંપન્ન કરાવી માનવતાનુ ઉદાહરણ પૂરુ પાડ્યુ
ગઈકાલે તા. 30મી નવેમ્બર 2020ના રોજ પ્રજ્ઞાચક્ષુ ચેરી. ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલયની દિકરી ચિ. શાન્તાબેન અરજણભાઈ મકવાણા, મેંદરડા ગામનાં વતની અને અંધ કન્યા છાત્રાલયના વિદ્યાર્થીની કે જેઓએ છાત્રાલયમા રહીને બી.એડ. સુધી અભ્યાસ કર્યો છે જેમના લગ્ન જામજોધપુરનાં રમેશભાઈ ગાંડા ભાઈ ડાંગર જેઓ પ્રાથમિક શિક્ષક છે તેની સાથે જૂનાગઢ અપના ઘર વૃદ્ધાશ્રમમાં સત્યમ સેવા મંડળ તેમજ દાતાશ્રીઓ દ્રારા કરિયાવરમાં 78 વસ્તુઓ આપી લગ્ન સંપન્ન કરાવી માનવતાનુ ઉદાહરણ પૂરુ પાડ્યુ છે.
પોતાની ખામીઓને ખૂબી બનાવીને સાથે જીવન જીવવાનો નીર્ધાર કર્યો છે
આપણે ત્યાં કહેવાય છે કે વિધિના લેખ લખાયા હોય તે જીવન સાથી મળે છે. લગ્ન જીવન માટે યોગ્ય અને સમકક્ષ સાથીનાં વર અને કન્યા પસંદ કરતા હોય છે. જોકે, આ કિસ્સામા કોઈ પણ પ્રકારની સામ્યતા નથી. વરરાજા ની ઉંચાઈ નથી તો કન્યા પ્રજ્ઞાચક્ષુ છે. છતાં બંને એ પોત પોતાની ખામીઓને ખૂબી બનાવીને સાથે જીવન જીવવાનો નીર્ધાર કર્યો છે