મોંઘવારીએ શિક્ષણને પણ બાકી ન રાખ્યું, હવે વાલીઓના ખભેથી ઘટ્યું આર્થિક ભારણ, વડોદરામાં અનોખો વિનય પુસ્તક મેળો
પુસ્તકના દાનથી વધશે જ્ઞાનનો વ્યાપ
વડોદરામાં અનોખો વિનય પુસ્તક મેળો
જૂના વર્ગના પુસ્તકો આપી,નવા લેતા જાવ
1 કરોડના પુસ્તકોનું મળ્યું દાન
વધતી મોંઘવારીના કારણે શિક્ષણ પણ મોંઘુ બનતુ જઈ રહ્યું છે.સામાન્ય વર્ગ માટે પોતાના સંતાનોને સારું શિક્ષણ આપવા હજારો-લાખો રૂપિયાની ફી ભરવી પડતી હોય છે.જેનાથી પરિવારનું આર્થિક ભારણ વધી જતું હોય છે.વાલીઓના ખભેથી આર્થિક બોજો દુર કરવા માટે વડોદરામાં પેરેન્ટ એસોસિએશને પુસ્તક વિનય મેળાનું આયોજન કર્યું છે.
જૂના પુસ્તકો આપી નવા લઈ જાઓ
જેમાં વાલીઓ પાસેથી સ્કૂલ કોલેજના પુસ્તકો લઈને અન્ય વાલીઓને આપવાનું મહા અભિયાન ચાલુ કર્યું છે.જેમાં અત્યાર સુધીમાં 800 જેટલા વાલીઓએ વિનય મેળીની મુલાકાત લઈને જૂના પુસ્તકો જમા કરાવી નવા પુસ્તકો નવા ધોરણના પુસ્તકો લીધા હતા.વિનય મેળાના સફળ આયોજનમાં અત્યાર સુધીમાં 1 કરોડની રૂપિયાની કિંમત જેટલાના પુસ્તકોના મહાદાનનું સુત્ર સાકાર કર્યું છે.
વાલીઓ મોંઘાદાટ પુસ્તકો નહીં ખરીદવા પડે..
વડોદરા વાલી એસોસિયેશને બીજા વર્ષે યોજાયેલા આ મેળા 800 વાલીઓએ મુલાકાત લઈ જૂના પુસ્તકો જમાં કરાવી નવા વર્ષ ના પુસ્તકો મેળવ્યા છે વાલીઓ નું કહેવું છે કે આ મોઘવારી ના સમયમાં પુસ્તકો ખરીદવા ખુબજ મુશ્કેલ બાબત છે ત્યારે અહીં અમે અમારા જૂના પુસ્તકો જમાં કરાવી નવા ધોરણના પુસ્તકો મેળવીએ છીએ જેના કારણે પુસ્તકનો ખર્ચ કરવો પડતો નથી.
વિદ્યાદાનએ મહાદાન
આ પ્રયાસથી દર વર્ષે વાલીઓના એક કરોડ રૂપિયાની બચત થાય છે અને જૂના પુસ્તકો પસ્તીમાં જતાં અટક્યા છે જેના કારણે પર્યાવરણનું પણ નુકશાન બચ્યું છે નવા અભિગમમાં ધોરણ ૧ થી ૧૨ ના પુસ્તકો લેવામાં આવતા હતા જોકે આ નવી પહેલની વાત જાણીને એક તબીબ પોતાની દીકરીના મેડિકલ ના અભ્યાસના મોંઘાદાટ પુસ્તકો પણ આપી ગયા હતા અને વિદ્યાદાનને મહાદાન ગણાવ્યું હતું.