બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / મહાકાળી માતાનું અનોખું મંદિર, વર્ષમાં એક વખત સીધી થાય છે મૂર્તિની ગરદન, જાણો રોચક કથા

ધર્મ / મહાકાળી માતાનું અનોખું મંદિર, વર્ષમાં એક વખત સીધી થાય છે મૂર્તિની ગરદન, જાણો રોચક કથા

Last Updated: 10:21 AM, 11 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દંતકથા અનુસાર રક્તબીજ નામના રાક્ષસને મારવા છતાં મહાકાળી માતાનો ક્રોધ ઓછો થયો ન હતો, તેથી માતાના ક્રોધને શાંત કરવા માટે ભગવાન શિવ આવ્યા અને તેમના ચરણોમાં સુઇ ગયા હતા.

રાજસ્થાનના ઐતિહાસિક કંકાલી માતાના મંદિરમાં આખા વર્ષ દરમિયાન માતાના દર્શન કરવા માટે ભક્તોની ભીડ આવે છે. જો કે નવરાત્રી દરમિયાન આ સ્થળની રોનક ઘણી વધી જાય છે. અહીં ખાસ કરીને માતારાણીને હલવો-પુઆ-પુરી અને ખીર ચઢાવવામાં આવે છે. મંદિરમાં બિરાજમાન પ્રતિમા મા મહાકાળીના રાક્ષસી સ્વરૂપની છે, જેના પર તે ભગવાન શિવ પર સવારી કરતી જોવા મળે છે,

Kankali-Mata-temple

પરંતુ માતારાણીના વિવિધ સ્વરૂપોની શ્રૃગારને કારણે લોકો પ્રતિમાના વાસ્તવિક સ્વરૂપથી અજાણ છે. કંકાલી માતાના મંદિરમાં સ્થાપિત દેવી માતાની મૂર્તિની ગરદન વર્ષમાં એકવાર સીધી થઈ જાય છે.

પૌરાણિક કથાઓ અનુસાર રક્તબીજ નામના રાક્ષસને માર્યા પછી પણ મહાકાળી માતાજી (મા કાલિકા)નો ક્રોધ શાંત થયો ન હતો, જેના કારણે તમામ દૈવી શક્તિઓ શાંત થઈ ન હતી, તેથી માતાના ક્રોધને શાંત કરવા માટે ભગવાન શિવજીની આવીને તેમના ચરણોમાં સૂઈ ગયા હતા. આ કથા અનુસાર કંકાલી માતાના મંદિરમાં મહાકાળી માતાજીના વિકરાળ સ્વરૂપની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. મંદિરના પૂજારીએ જણાવ્યું કે મંદિરની મૂર્તિ 300 વર્ષ પહેલા બામોર દરવાજા પાસે સ્થિત ટેકરી પર બિરાજમાન હતી.

ભક્તો મંદિરે દર્શન કરવા આવતા હતા

ઐતિહાસિક કંકાલી માતા મંદિરમાં ઘણી પેઢીઓથી પૂજા કરી રહેલા પરિવારના સભ્ય અને મંદિરના પૂજારીએ મિડિયાને જણાવ્યુ કે ટેકરી પર સ્થિત મંદિર તરફ જવાના દુર્ગમ રસ્તાને કારણે તેને 100 ફૂટ નીચે લગભગ 300 મીટર દૂર ખાલી રસ્તા પર સ્થાપિત કરવામાં આવ્યું હતું. મંદિર પરિવારના પૂજારી સૂરજપુરી ગોસ્વામીએ જણાવ્યું કે હરણાજતિનું સ્થાન સંતો અને મહાત્માઓની તપોભૂમિ હતી. રાજાઓ અને સમ્રાટોના સમયમાં ભક્તો ટેકરી પર સ્થિત મંદિરમાં દર્શન કરવા આવતા હતા.

Website_Ad_1200_1200.width-800

આ પણ વાંચોઃ ગુજરાતના બે આશ્ચર્યજનક મંદિર, નિર્માણનું બાંધકામ ન જોવાની શરત, છતાં એક જેવા બન્યા

આસ્થાનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે

મંદિરના પૂજારી અને નિષ્ણાતો કહે છે કે નાગા સાધુઓએ 1000 વર્ષ પહેલાં આ પર્વતને તપસ્યાનું સ્થળ બનાવ્યું હતું. શરૂઆતમાં બિયાવાન જંગલને કારણે લોકો ત્યાં આવતા નહોતા, કારણ કે નાગા સાધુઓની તપોભૂમિ પર જવાની કોઈની હિંમત ન હતી, પરંતુ ધીમે ધીમે ભક્તો દર્શન માટે આવવા લાગ્યા ત્યારથી તેના વર્તમાન સ્થાન પર મંદિરની સ્થાપના થઈ. આ મંદિર ટોંકની આસ્થાનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. જ્યાં ભક્તો આખું વર્ષ સતત માતાના દર્શન કરવા આવે છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Religion Kankali Mata temple rajasthan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ