યુપીના પ્રતાપગઢના કુંડા વિસ્તારમાં રહેતી આરતી મૌર્યના લગ્ન તેના પડોશી ગામના અવધેશ સાથે નક્કી થયા હતા. દુલ્હન આરતીનું ધાબા પરથી પગ લપસ્યું અને તે નીચે પટકાઈ ગઈ હતી તેને ગંભીર ઈજા પહોંચી હતી
યુપીના પ્રતાપગઢના આરતી અને અવધેશની અનોખી સ્ટોરી
આરતી અને અવધેશની સ્ટોરી વિવાહ ફિલ્મથી કમ નથી
ઓક્સિજન અને ડ્રીપ લગાવેલી હાલતમાં આરતીની માંગ ભરી
તમે વિવાહ હિન્દી ફિલ્મ તો જોઈ જ હશે પરંતુ આ સ્ટોરી પણ તે ફિલ્મની સ્ટોરીથી કમ નથી બસ ફર્ક એટલો જ છે તે ફિલ્મ કહાની હતી અને આ રિયલ સ્ટોરી છે. યુપીના પ્રતાપગઢના કુંડા વિસ્તારમાં રહેતી આરતી મૌર્યના લગ્ન તેના પડોશી ગામના અવધેશ સાથે નક્કી થયા હતા. 8મી ડિસેમ્બરે આરતીની જાન આવવાની હતી. આરતી અને અવધેશના ઘરે ધામધૂમ પૂર્વક લગ્નની શરણાઈઓ વાગતી હતી. ઘરના દરેક સભ્યોના ચહેરા પર લગ્નની ખુશીનો ઉત્સાહ અપાર દેખાઈ રહ્યો હતો. કહેવાય છે કે, દુર્ઘટના કોઈને કઈને નથી થતી અને બન્યું પણ કંઈક એવું જ લગભગ બપોરના 1 વાગ્યા હશે, દુલ્હન આરતી ધાબા પર હતી ત્યાં એક બાળકને બચાવવા જતા તેનું પગ ધાબા પરથી લપસ્યું અને તે નીચે પટકાઈ ગઈ.
પરિવારમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું
આરતી ધાબા પરથી નીચે પટકાતા તેના શરીરના વિવિધ અંગોમાં ગંભીર ઈજા પહોંચી હતી, તેના કમરથી નીચેલા ભાગમાં કરોડરજ્જૂ સહિત કેટલા હાડકાંમાં એટલી ગંભીર ઈજા પહોંચી કે, ડોક્ટરે કહ્યું કે, તે હવે અપંગ થઈ ગઈ છે અને ચોક્કસ ન કહેવાય પરંતુ કેટલાક સમય તેને પથારીવશ જ રહેવું પડશે. ત્યારે આરતીના પરિવારમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું કે, હવે આરતીના લગ્નની વાત શું પણ હવે અવધેશના પરિવારજનો સગાઈ પણ તોડી દેશ. એને તે સમય આરતીના પરિવારના સભ્યોએ અવધેશને કહ્યું કે, જો તમને વાંધો ન હોય તો તમે આરતીની નાની બહેન સાથે લગ્ન કરી શકો.
અવધેશના નિર્ણયને સલામ
આ વાતમાં ખરો વળાંક અહીં આવે છે, આરતીના પરિવારજનોએ આરતીની નાની બહેન સાથેના લગ્નની વાત કરી ત્યાં વરરાજા અવધેશનો જવાબ હતો તે આપણી કલ્પના બહારનો હતો. વરરાજા અવધેશે કહ્યું કે હું તેની હોસ્પિટલમાં જ માંગ ભરીશ અને આ સ્થિતિમાં પણ તે આરતીને માત્ર પત્ની તરીકે અપનાવશે જ એટલું જ નહીં, પરંતુ તે જ દિવસે નક્કી કરેલા સમયે લગ્ન પણ કરશે.
સાસરે જવાને બદલે તેને ફરી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી
આ પછી તે ઓક્સિજન સપોર્ટ સિસ્ટમની મદદથી સારવાર લઈ રહેલી આરતીની માંગ ભરવા માંગતો હતો. અવધેશના આગ્રહ પર ડોકટરોની ટીમની પરવાનગી લીધા પછી આરતીને બે કલાક પછી એમ્બ્યુલન્સમાં ઘરે પરત લાવવામાં આવી હતી. તેણીને સ્ટ્રેચર પર સુવડાવીને લગ્નની વિધિ કરવામાં આવી હતી. ઓક્સિજન અને ડ્રીપ લગાવેલી હાલતમાં તેની માંગ ભરવામાં આવી હતી. તમામ દુલ્હનોની જેમ આરતીને પણ વિદાય આપવામાં આવી હતી. જો એ અલગ વાત છે કે, સાસરે જવાને બદલે તેને ફરી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. બીજા દિવસે હોસ્પિટલમાં ઓપરેશન માટે ભરવામાં આવતા ફોર્મ પર અવધેશએ પતિ તરીકે સહી પણ કરી હતી. આ ઘટના જોઈ લોકો અવધેશને સલામ કરી રહ્યાં છે, સલામ કરી રહ્યાં છે અવધેશના વિચારોને.