ભારે પૂરને કારણે રસ્તા જળબંબાકાર થતા આસામના કામપુરમાં લોકો જાળ લઈને નેશનલ હાઈવે પરથી માછલા પકડવા લાગ્યા હતા.
આસામના આવ્યું વિનાશક પૂર
અત્યાર સુધીમાં 54 લોકોના મોત
કામરુપમાં અનોખો નજારો
નેશનલ હાઈવે થયો જળબંબાકાર
લોકો જાળી ફેંકીને માછલા પકડવા લાગ્યા
આસામ ભારે પૂરનો સામનો કરી રહ્યું છે અને અત્યાર સુધીમાં 54 લોકોના મોત થયા છે ત્યારે કામરુપમાં એક અનોખો નજારો જોવા મળ્યો હતો. અહીં નેશનલ હાઈવે જળબંબાકાર થયા હતા. નેશનલ હાઈવેમાં ગોઠણ સમા પાણી ભરાયા હોવાથી તેમાં ઢગલાબંધ માછલા પણ તરી આવ્યાં હતા જેને કારણે લોકો જાળ લઈને રસ્તા ભરાયેલા પાણીમાંથી માછલા પકડવા લાગ્યા હતા. એકીસાથે ઘણા યુવાનો જાળ લઈને રસ્તા વચ્ચે ઊભેલા જોવા મળ્યાં હતા.
#WATCH Kamrup, Assam | Locals lay nets to catch fish at the inundated National Highway 31 in Moranjana area, Rangia in the wake of floods; vehicular movement also restricted to one side pic.twitter.com/UjGau0g8tw
અસમ સ્ટેટ ડિજાસ્ટર મેનેજમેન્ટ અથોરિટીએ જાણકારી આપી છે કે, અસમમાં પુરના કારણે વધુ નવ લોકોના મોત થઈ ગયા છે. જેમાં કુલ મૃત્યુ પામનારા લોકોની સંખ્યા હવે 54 થઈ ગઈ છે. અસમના હોજઈ, નલબાડી, બઝલી, ધુબરી, કામરૂપ, કોકરાઝાર અને સોનિતપુર જિલ્લામાં મોતની યાદી મળી છે. રાજ્યમાં આ વર્ષે પુર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 54 લોકોના જીવ ગયા છે.
પૂરના કારણે 28 જિલ્લાના 18.94 લાખ લોકો પ્રભાવિત
આસામમાં પુરના કારણે 28 જિલ્લાના 18.94 લાખ લોકો પ્રભાવિત થયા છે. રાજ્યના આંકડા અનુસાર, 96 મંડળમાં આવતા 2930 ગામડામાં હાલમાં પાણીમાં છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, પુરના પાણીથી પ્રભાવિત જિલ્લામાં 43338.39 હેક્ટર પાક જળમગ્ન થઈ ગયો છે. રાજ્યની કેટલીય જગ્યા પર બેકી, માનસ, પગલાડીયા, પુથિમારી, જિયા ભરાલી, કોપિલીમાં બ્રહ્મપુત્ર ન દીનું જળ સ્તર ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે.
Assam CM HB Sarma inspected the breached LB embankment near Bor Athiabari, caused by surging Saktola river in Darrang dist
"Directed WRD to plug the breached portion.Also assured local people that the embankment with new alignment will be made to improve fortification,"he tweets pic.twitter.com/2PQZX90vYh
તાજેતરના રિપોર્ટ મુજબ આસામમાં કામરૂપ જિલ્લામાં પુરની સ્થિતિ હજૂ પણ ખરાબ છે. પુરનું પાણી નવા વિસ્તારમાં પ્રવેશી રહ્યું છે. જેનાથી 70,000થી વધારે લોકો પ્રભાવિત થયા છે. સતત વરસાદથી બોરોલિયા નદી અને જિલ્લાની અન્ય મુખ્ય નદીનું જળસ્તર વધી રહ્યું છે. બોરોલિયા નદીમાં પાણીથી ગુરૂવારે ચૌમુખા બંધનો એક ભાગ તણાઈ ગયો હતો અને હાજો વિસ્તારમાં કેટલાય ગામડા પાણીમાં ગરકાવ થયા હતા.