વડોદરામાં વર્ષે બે વર્ષે ચોમાસામાં વિશ્વામિત્રી નદી માં પુર આવે છે, જેમાં ઘણા ઘરો તણાઇ જાય તો કેટલાયને નુકસાન થાય છે.
વિદ્યાર્થીઓનો અનોખો આવિસ્કાર
આફતમાંથી ઉપાય શોધ્યો
પૂરમાં ઘર બચે તે માટે બનાવ્યો પ્રોજેક્ટ
વડોદરામાં વર્ષે બે વર્ષે ચોમાસામાં વિશ્વામિત્રી નદી માં પુર આવે છે, નદી પટ માં રહેતા માં ભારતી સ્કૂલના બે વિદ્યાર્થીઓ ના ઘરમાં પુર વખતે પાણી ભરાઈ જતા હોય છે બંને વિદ્યાર્થીઓ એ શાળાઓ ની યોજાયેલી સ્પર્ધામાં ફ્લોટર મકાન બનાવી સમજાવ્યું કે પુર આવે તો પણ મકાન ડૂબે નહીં અને પાણી ઉપર તરતું રહે.
ભારતી સ્કૂલના ધોરણના 8ના વિદ્યાથીઓનો પ્રોજેક્ટ
પરિવાર પર આવી પડતી આફતો બાળકોના માનસ પટ પર એ હદે છવાઈ જાય છે કે દરેક સમય એ આફતમાંથી બહાર નીકળવાનું મન કહી રહ્યું હોય છે વાત વડોદરાની છે વિશ્વામિત્રી નદીમાં આવતા પૂરને કારણે નદીના પટ વિસ્તારમાં રહેતા બે વિદ્યાર્થીઓએ વિશ્વામિત્રી નદીમાં આવતા પૂરને કારણે ઘર અને પરિવારની સર્જાતી સ્થિતિ અને તેમાંથી કેવી રીતે બહાર નીકળવું તે માટેનો એક પ્રોજેક્ટ ઉભો કરી દીધો વાત વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલી માં ભારતી સ્કૂલની છે ધોરણ-૮ ના વિદ્યાર્થીઓ દીપક રાજપુત અને શકિરા શેખ એ પાણીમાં અડીખમ ઉભું રહી શકે તેવું ફ્લોટિંગ હાઉસ તૈયાર કરી દીધું છે.
આ પ્રોજેક્ટ કઈ રીતે કરે છે કામ
જ્યારે પૂર આવે ત્યારે આ મકાન ધીરે ધીરે પાણીની ઉપર આવી જાય અને ઘરની અંદર પાણી ન પ્રવેશી શકે એવો પ્રોજેક્ટ તૈયાર કરી ક્લસ્ટર કક્ષાએ યોજાયેલી સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે ક્યાં છે હવે એન.સી.ઇ.આર.ટી સ્પર્ધામાં તેને સ્થાન મળે તેવી શક્યતા દેખાઈ રહી છે બાળકોએ લાકડા ફાઇબર પ્લાસ્ટિક અને હું સોલાર લાઈટ દ્વારા આ પ્રોજેક્ટ બનાવ્યો છે તેમના ક્લાસ ટીચર ની પણ મહત્વની ભૂમિકા રહી ગણિત વિજ્ઞાન સહીતના પ્રદર્શનીમાં મુકાયેલો આ પ્રોજેકટ કોર્પોરેશન તંત્ર માટે લાલબત્તી સમાન છે
વડોદરા કોર્પોરેશને લેવા જેવી શીખ
પાવાગઢ થી નીકળી ખંભાતના અખાતમાં મળતી વિશ્વામિત્રી નદી સર્પાકાર રીતે ૧૭ કિલોમીટર વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થાય છે જોકે અનેક દબાણોના કારણે નદીનો પટ સાંકડો થતા વર્ષે બે વર્ષે પૂરની સ્થિતિ સર્જાય છે અને નદી પટ વિસ્તારના અનેક મકાનોમાં પાણી ભરાઇ જાય છે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, ધોરણ આઠ ના બે વિદ્યાર્થીઓએ કહી શકાય કોર્પોરેશન તંત્રની પુરની સ્થિતીમાં શહેરને કેવી રીતે કરવું માર્ગદર્શન આપ્યું છે તંત્ર આ પ્રોજેક્ટથી પ્રેરાઈ નદીના પટ માં થયેલા દબાણ દૂર કરી પટ ખુલ્લો કરી નદી પટ વિસ્તારમાં રહેતા લોકો ની મુસીબત નું સમાધાન લાવે તે જરૂરી બન્યું છે.