સુરતના અગ્નિકાંડ બાદ રાજ્યભરના ટ્યુશન ક્લાસીસ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ટ્યુશન ક્લાસીસ બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે અમદાવાદના મણિનગર વિસ્તારમાં ટ્યુશન ક્લાસીસના શિક્ષકો દ્વારા ગાર્ડનમાં ભણાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓનુ ભણતર ન બગડે તે માટે શિક્ષકો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. મણીનગરના ગાર્ડનમાં શિક્ષકો સવારે 6થી 9 અને સાંજે 5થી 7 વાગ્યા સુધી અભ્યાસ કરાવી રહ્યા છે. વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે શિક્ષકો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.