શું તમે ક્યારેય એવું અનુમાન કર્યું હતું કે, મેડિકલ સારવાર પદ્ધતિ અને જ્યોતિષ શાસ્ર એક સાથે કામ કરી શકે છે. જો આવું ક્યારેય અનુમાન ન કર્યું હોય કે ન જોયું હોય તો અમે તમને એ બતાવીશું. રાજસ્થાનમાં એક માત્ર એવી હોસ્પિટલ છે કે જેની અંદર દર્દીની જન્મકુંડળીને જોઈને પછી સારવાર કરવામાં આવે છે. તો આવો જોઈએ પ્રાચીન જ્યોતિષ વિજ્ઞાન અને આધુનિક સારવાર વિજ્ઞાનનો એ હોસ્પિટલમાં કેવી રીતે થયો છે સુમેળ અને દદીઓ કેવી રીતે તેનો ઉઠાવી રહ્યા છે લાભ જે જાણવું ખરેખર રસપ્રદ છે.
રાજસ્થાનના જયપુરમાં વૈશાલીનગર સ્થિત આ હોસ્પિટલ કોઈ સામાન્ય હોસ્પિટલ નથી. સામાન્ય એટલા માટે નથી કે આ હોસ્પિટલમાં દર્દીનું નિદાન અને તેની સારવારની પદ્ધતિ અનેક રીતે ન્યારી છે. આ હોસ્પિટલમાં આધુનિક યુગની ટેકનોલોજી અને પ્રાચીન જ્યોતિષ શાસ્ત્રને એક સાથે જોડીને દર્દીઓની સારવાર કરવમાં આવી રહી છે. જયપુર સ્થિત આ હોસ્પિટલનું નામ છે યૂનિક સંગીતા મેમોરિયલ હોસ્પિટલ.
આ હોસ્પિટલ ભારતના પ્રાચીન જ્યોતિષ વિજ્ઞાન શોધ સંસ્થાન સાથે જોડાયેલું યૂનિટ છે. આ હોસ્પિટલમાં દર્દીના રોગની તપાસ તેની જન્મકુંડળીની તપાસ કર્યા બાદ કરવામાં આવે છે. અહીં આવતા દર્દીએ માત્ર પોતાનું નામ, ઉંમર અને જન્મસ્થળ જ બતાવવાનું હોય છે. આ માહિતીના આધારે જ્યોતિષ શાસ્ત્રી જે તે દર્દીની જન્મકુંડળી બનાવી નાખે છે અને તેનો અભ્યાસ કર્યા પછી જ્યોતિષ જ કહે છે કે દર્દીને શાનું દર્દ છે અને દર્દનું કારણ શું છે.
આ હોસ્પિટલમાં 50 જેટલાં બેડ છે અને આધુનિક સાધનોથી સજ્જ બે ઓપરેશન થિયેટર પણ છે. નવા જમાનાની ટેકનોલોજી અને પ્રાચીન જ્યોતિષ વિજ્ઞાનનો એક સાથે ઉપયોગ કરીને અહીં દર્દીનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે. આજ સુધીમાં આ હોસ્પિટલમાં જન્મકુંડળીને આધારે 70 દર્દીઓની સારવાર કરવામાં આવી છે જે સંપૂર્ણ રીતે સફળ રહી છે.
Rajasthan: 'Unique Sangeeta Memorial Hospital' in Jaipur diagnoses diseases using Medical Science&Astrology. Pt A Sharma says"I see 25-30 kundli daily. We use astrology for diagnosis only, for treatment we use Medical Science.We do it so that diagnosis is correct&no time is lost" pic.twitter.com/PAySqnwcqz
પ્રાચીન જ્ઞાન અને અદ્યતન વિજ્ઞાનને પરસ્પર જોડવાની આ પહેલ જયપુરના એક જ્યોતિષ વિજ્ઞાની પંડિત અખિલેશ શર્માએ કરી છે. તેઓ જયપુરમાં વૈશાલી નગરમાં ભારતીય પ્રાચીન જ્યોતિષ શોધ-સંસ્થાન ચલાવી રહ્યા છે.
જ્યાં લોકોને જ્યોતિષ ફલિત, જ્યોતિષ ગણિત વાસ્તુ વિજ્ઞાન વિશે માહિતી આપવામાં આવી રહ્યું છે. બનારસ હિંદૂ વિશ્વવિદ્યાલયમાંથી શિક્ષણ મેળવાનારા પંડિત અખિલેશ શર્માની આ અનોખા અભિયાનમાં કુલ 22 નિષ્ણાતો જોડાયેલા છે.
જેમાંથી 5 વ્યક્તિ ડોક્ટર છે. એ ઉપરાંત જ્યોતિષી અને વેદાચાર્ય પણ એમની ટીમમાં સામેલ છે. તેમની આ ટીમ જ્યોતિષ શાસ્ત્રને મેડિકલ સાયન્સ સાથે જોડીને એક અભ્યાસક્રમ તૈયાર કરી રહ્યો છે. જેને એસ્ટ્રોમેડિકલ એવું નામ આપવામાં આવશે. જેની આ સંસ્થાનમાં નજીકના ભવિષ્યમાં તાલીમ પણ આપવામાં આવશે.
ભારતીય સંસ્કૃતિમાં જ્યોતિષ વિજ્ઞાનને ખૂબ મહત્વ મળેલું હતું. જ્યોતિષ વિજ્ઞાનનો આયુર્વેદ વિજ્ઞાન સાથે સમન્વય પણ સધાયો હતો અને તેના આધારે દર્દીઓની સારવાર પર કરવામાં આવતી હતી. ત્યારે આટલા વર્ષો બાદ ફરી એકવાર દેશમાં આ બન્ને વિજ્ઞાનનો ઉદય માનવજાતના કલ્યાણ માટે થઈ રહ્યો છે તે હર્ષ પમાડે તેવી વાત છે.