આજે ભાઈબીજનો તહેવાર ઉજવાઈ ગયો. ભાઈ-બહેનના સ્નેહ અને પરસ્પર સન્માનને વ્યક્ત કરવાનો આ અવસર સમગ્ર દેશમાં ઉજવાઈ ગયો. દરેક તહેવાર સાથે એક લોકવાયકા જોડાયેલી હોય છે અને લોકો પેઢીદર પેઢી તેનેઅનુસરતા હોય છે. આવા તહેવારોમાં જ વર્ષો જૂની પરંપરા સજીવન થઈ ઊઠતી હોય છે અને લોકો પરંપરાને અનુસરતા એક પેઢીમાંથી બીજી પેઢીમાં કેટલીક પરંપરાનું વહન થતું હોય છે.
પાટડી અને બનાસકાંઠામાં દિવાળીની અનોખી ઉજવણી
વર્ષોથી ચાલી આવે છે ગૌધૂલિની પરંપરા
અશ્વદોડ દ્વારા ઉજવાય છે બેસતુ વર્ષ
ક્યાંક ગાયોના ધણમાં આસ્થા ઉમેરાતી જોવા મળે છે તો ક્યાંક અશ્વના ગતિબળમાં શ્રદ્ધા સમાયેલી જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં વડગામનું છે. જ્યાં અનોખી રીતે દિવાળીની ઉજવણી કરવામાં આવી. દિવાળીના દિવસે અહીં ગામમાં ગાયોને દોડાવવામાં આવી હતી.
ગૌધૂલિની પરંપરા
ગાયોની ખરીથી ઉડેલી ધૂળની રજને માથે ચડાવીને લોકોએ ધન્યતા અનુભવી હતી. આ પરંપરાને ગૌધૂલિની પરંપરા કહેવામાં આવે છ. જ્યારે આ તરફ સાબરકાંઠાના મુઠેડા ગામમાં જ્યાં ભાઈબીજના દિવસે અશ્વદોડની પરંપરા નિભાવવામાં આવી. ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતિક સમાન વર્ષોથી ચાલી આવતી આ પરંપરા સાત સો અઠાવન વર્ષ બાદ પણ ગામમા દર ભાઈબીજના દિવસે યાદ કરવામાં આવે છે.
અશ્વદોડ સાથે જોડાયેલો છે ઇતિહાસ
બનાસકાંઠાના મુઠેડા ગામમાં દર ભાઈબીજના દિવસે યોજાતા આ અશ્વદોડની પરંપરા પાછળનો એક આખો ઈતિહાસ છે. આજથી સાડી સાતસો વર્ષ પહેલા ધાર્મિક આક્રાંતના માહોલમમાં ધર્મની બહેન માનેલા ચોથબાના રક્ષણ માટે મૂઠેડાના રાઠોડ પરિવારના ભાઈઓ ધોડા સાથે બખ્તરબદ્ધ થીને ચૂંદડી લઈને પેપળુ ગામે ગયા હતા. ત્યારથી આ પરંપરા ચાલી આવે છે અને દર ભાઈબીજના દિવેસ આખા ગામના લોકો ભેગા મળીને આ પરંપરા નિભાવે છે. પોતાની પરંપરા સાચવવા માટે મશહૂર રાઠોડ પરિવારના સભ્યો આજે પણ મુડેઠા ગામેથી બેસતા વર્ષના દિવસે ચુંદડી લઇ ચોથબાને ઓઢાડવા જાય છે.
હજ્જારોની સંખ્યામાં ઉમટી પડે છે જનમેદની
મુડેઠા ગામમાં છેલ્લા સાડા સાતસો વર્ષથી યોજાતી આ અશ્વદોડમાં પાણીદાર અશ્વોની રફતારને નિહાળવા માટે દૂર દૂરથી હજ્જારોની સંખ્યામાં જન મેદની ઉમટી પડે છે. રફતાર અને શોર્યના આ સમન્વયને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય કાયદો અને વ્યવસ્થા જાળવવી ખૂબ જ અઘરી બની જતી હોય છે.. પરંતુ આ અશ્વદોડની ખાસિયત એ છે કે આટલી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોવા છતાં અહી કોઈપણ જાતના પોલીસ બંદોબસ્તની જરૂર પડતી નથી..
કેમ મનાવવામાં આવે છે આ પરંપરા
ચોથબાને ધર્મની સાક્ષીએ બહેન માની તેમના લગ્ન કરાવ્યા બાદ મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ દર વર્ષે બેસતા વર્ષના દિવસે ચોથબા માટે મુડેઠાથી ચુંદડી લઇ પેપળુ જાય છે. ત્યાં રાત રોકાઈને ભાઈ-બીજના દિવસે પરત આવે છે. દર વર્ષે ભાઈ બીજના દિવસે બહેનને પાડોશના ગામ પેપળુ ચુંદડી આપવા માટે રાઠોડ પરિવારના જે સભ્યો જાય છે તે અલગ અલગ પાટી એટલે કુળના હોય છે.. જેમાં ખેતાણી, ભાલાણી, રાજાણી અને દુધાણી કુળના રાઠોડો જતા હોય છે.. દર વર્ષે અલગ અલગ પાટીના રાઠોડ પરિવારો બખ્તર ધારણ કરીને પેપળુ મુકામે ચુંદડી આપવા જાય છે આ વખતે ભલાણી કુલ ના લોકો એ બખ્તર ધારણ કર્યું હતું. સદીઓ પહેલા મોગલોના આતંકથી બચવા માટે મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ બખ્તર ધારણ કરીને જતા હતા.. જે બખ્તર આજે પણ હયાત છે.
સદીયોથી ચાલી આવતી આ પરંપરાને નિભાવનારા અને નિહાળનારા બદલાતા ગયા પરંતુ આ પરંપરા આજે પણ બરકરાર છે. કેટલીય પેઢીઓથી ચાલી આવતી આ પરંપરામાં રાઠોડ કુળના લોકો તલવાર બાજી કરી પટ્ટા રમતા હોય છે. જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ દરેક વસ્તુઓ બદલાતી જાય છે. પરંતુ મુડેઠા ગામના દરબાર પરિવારોની નવી પેઢી પણ આ પરંપરાને જાળવી રાખવા માટે એટલી જ તત્પર જણાઈ રહી છે. આજના યુવા વર્ગમાં પણ આ પરંપરા સાચવી રાખવાનો ઉત્સાહ એટલો જ જોવા મળી રહ્યો છે જે અગાઉની પેઢીઓમાં જોવા મળતો હતો.
આપણો દેશ વિવિધ સાંસ્કૃતિક સમૃદ્ધી ધરાવે છે. .અહી અનેક ધર્મ અને સંસ્કૃતિઓનો વાસ છે. અને દરેક વર્ગ એક આગવી સંસ્કૃતિ અને પરંપરા ધરાવે છે. નવાઈની વાત એ છે કે આપણા દરેક તહેવારમાં ઈશ્વરનું અસ્તિત્વ અને તેની કૃપા એ મધ્યવર્તી વિચાર હોય છે. અને એ પ્રમાણે આપણા રિવાજો અને રૂઢીઓ સર્જાય છે.