પાણી બચાવવા બનાસકાંઠાના 2 ગામોએ અનોખો નિર્ણય લીધો, કુંડા અને લવાણા ગામના લોકોએ ધારાસભ્યનો સમય ન બગાડવા માટે શુભ પ્રસંગમાં આમંત્રણ ન આપવાનો લીધો નિર્ણય
બનાસકાંઠામાં પાણી બચાવવા 2 ગામનો અનોખો નિર્ણય
ધારાસભ્યને નહીં આપે આમંત્રણ
પાણી બચાવવા MLAને આપશે સમય
ઉત્તર ગુજરાતમાં ભૂગર્ભ જળનો પ્રશ્ન સૌથી વિકટ બન્યો છે. ત્યારે આ પ્રશ્નને લઈને દિયોદરના ભાજપના ધારાસભ્ય કેશાજી ચૌહાણે બાંયો ચઢાવી છે. કેશાજી ચૌહાણે અગાઉ પ્રતિજ્ઞા લીધી હતી કે, 'જ્યાં સુધી પાણીનો પ્રશ્ન હલ નહીં થાય ત્યા સુધીનું હું કોઇ સન્માન નહીં સ્વીકારું'. ત્યારે પાણી બચાવવા મામલે દિયોદર મત વિસ્તારના 2 ગામઓ અનોખો નિર્ણય લીધો છે. કુંડા અને લવાણા ગામના લોકોએ ધારાસભ્યનો સમય ન બગાડવા નિર્ણય કર્યો છે.
પાણી બચાવવા નિર્ણય
પાણી બચાવવા બનાસકાંઠાના 2 ગામોએ અનોખો નિર્ણય લીધો છે. કુંડા અને લવાણા ગામના લોકોએ ધારાસભ્યનો સમય ન બગાડવા માટે ગ્રામજનોએ ધારાસભ્ય કેશાજી ચૌહાણને પાણીનો પ્રશ્ન ઉકેલવા સમય આપ્યો છે તેમજ પાણીનો પ્રશ્ન ઉકેલી શકે એ માટે ગ્રામજનોએ ધારાસભ્યનો સમય ન બગાડવા નિર્ણય લીધો છે. ગ્રામજનો ધારાસભ્યને શુભ અને ધાર્મિક પ્રસંગમા આમંત્રણ નહીં આપે. ગ્રામલોકોએ કહ્યું કે, ધારાસભ્ય અમારા કાર્યક્રમમાં નહી આવે તો ચાલશે પણ પાણીના પ્રશ્નનો હલ લાવો.
ધારાસભ્યની હાજરીમાં લેવાયો નિર્ણય
ધારાસભ્યના સમયનો સદુપયોગ થાય તે માટે ગ્રામજનોએ ધારાસભ્ય કેશાજી ચૌહાણની હાજરીમાં ગ્રામજનોએ આ નિર્ણય લીધો છે. જો કે, ધારાસભ્યએ ગ્રામજનોના નિર્ણયને આવકાર્યો છે. અગાઉ પાણીના પ્રશ્નનું નિરાકરણ લાવવા ધારાસભ્યએ પ્રતિજ્ઞા કરી હતી અને જેમાં ફૂલહાર અને પાઘડી જેવું સન્માન ન સ્વીકારવા નિર્ણય લીધો હતો.
અગાઉ પ્રતિજ્ઞા લીધી હતી
થોડા સમય અગાઉ કેશાજી ચૌહાણે જણાવ્યું કે, જ્યાં સુધી આ ભૂગર્ભમાં જળ સિંચાઈના પાણી માટે આપણને ભગવાન માર્ગ ન દેખાડે ત્યાં સુધી મેં જાહેરમાં કોઈના ફૂલહાર ન સ્વીકારવાનો અને સાલ કે પાઘડી ન પહેરવાનો સંકલ્પ કર્યો છે.