મહેસાણાના ખેરાલુમાં સિંચાઇ માટે ચીમનાબાઈ સરોવરમાં પાણી છોડવા માટે 30 ગામના લોકો મંદ્રોપુર ગામે એકઠા થયા હતા.
ખેરાલુ તાલુકામાં અનોખુ અભિયાન
ખેરાલુમાં પાણી નહીં તો મત નહીં અભિયાન
30 ગામની ચૂંટણી બહિષ્કારની ચીમકી
ખેરાલુ તાલુકાના 30 ગામોનું અનોખું અભિયાન
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં ધરોઈ ડેમ આવેલો છે પરંતુ આ ડેમનો લાભ કોઇ દિવસ ખેરાલુ તાલુકાને મળ્યો નથી.આ તાલુકાના લોકો માત્ર ખેતી અને પશુપાલન ઉપર નિર્ભર છે.આ તાલુકામાં સિંચાઈનો એક માત્ર આધાર ચીમનાબાઈ સરોવર છે.આ કારણે ખેરાલુની દરેક ચૂંટણીમાં ચીમનાબાઈ સરોવર ભરવાનો મુદ્દો અગ્રતાક્રમે રહે છે.પરંતુ આ સરોવરમાં પાણી ભરાતું નથી.આખરે ઠાલા વચનોથી ત્રસ્ત 30 ગામના લોકો મંદ્રોપુર ગામે એકઠા થયા હતા.
ગ્રામજનોએ શરૂ કર્યું અનોખું અભિયાન ‘પાણી નહીં તો મત નહી’
આ ગામના લોકોએ પાણી નહીં તો મત નહીં અભિયાન ચલાવ્યું છે.તથા આ અભિયાન અંતર્ગત સિંચાઈ માટે પાણી નહીં તો મત નહીં ના બોર્ડ ચાર ગામોમાં લાગી ગયા છે અને આગળના સમયમાં તમામ ગામોમાં આ પ્રકારના બોર્ડ લગાડવાનું આયોજન છે અને યોગ્ય નિરાકરણ નહીં આવે તો 30 ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો સિંચાઈ માટે પાણી નહીં તો મત નહીં ના ગામે-ગામ બોર્ડ લાગશે. અત્યાર સુધીમાં ફતેપુરા સહિત 4 ગામના લોકો બોર્ડ લગાવી ચુક્યા છે. જો તેમની ગણી નહિ સંતોષાય તો ઉગ્ર આંદોલનની પણ બેઠકમાં ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
બનાસકાંઠાના 5 તાલુકાના ખેડૂતો આંદોલનના માર્ગે
તો બીજી તરફ, બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ખેડૂતો સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માગ સાથે એકવાર ફરી આંદોલનનું રણશિંગુ ફૂંકવાની તૈયારી છે. પાણી આંદોલન મહેસાણા બાદ બનાસકાંઠામાં પણ જોવા મળ્યું. બનાસકાંઠાની સુજલામ સુફલામ કેનાલમાં પાણી મુદ્દે પાંચ તાલુકાના ખેડૂતો આંદોલનના માર્ગે નીકળ્યા છે. 100 જેટલા ગામડાઓમાં ‘પાણી નહીં તો વોટ નહિ’ ના પોસ્ટર લાગ્યા છે. દરેક ગામડામાં ઢોલ વગાડી ખેડુતોને જાગૃત કરી પોસ્ટર અને બેનર લગાવાાઈ રહ્યાં છે. સુજલામ સુફલામ કેનાલમાં પાણીની માંગ સાથે ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યાં છે.બનાસકાંઠા જિલ્લામાં ફરી પાણી લઈને આંદોલનનું રણશિંગુ ફૂંકવવાની એંધાણ દેખાઈ રહ્યાં છે.