સરકારી તેલ કંપનીઓ દ્વારા આજે ફરી પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ ઈશારામાં આજે કહી દીધું કે હાલ પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર નથી થવાનો
પેટ્રોલ ડિઝલના ભાવમાં હાલ કોઈ ઘટાડો નહી થાય
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ ભાવ ન ઘટવા પર કરી દીધો ઈશારો
વધતા ભાવને લઈને લોકો હેરાન પરેશાન
દેશમાં રોજ પેટ્રોલના ભાવ વધી રહ્યા છે. ત્યારે આજે ફરીથી સરકારી તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આવા સમયે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ ઈશારો કરી દીધો છે કે હાલ પેટ્રોલ કે ડિઝલના ભાવમાં કોઈ ઘટાડો જોવા નહી મળે.
મુંબઈમાં 111.77 રૂપિયા લીટર પેટ્રોલ
સરકારી તેલ કંપનીઓ દ્વારા ઈંધણના ભાવમાં વધારો કરતા પેટ્રોલ ડિઝલના ભાવમાં 35 પૈસા જેટલો વધારો થયો છે. હાલ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 105.84 રૂપિયા છે જ્યારે ડિઝલનો ભાવ 94.57 રૂપિયા છે. તો બીજી તરફ સાંભળીને તમને નવાઈ લાગશે કે પેટ્રોલના ભાવ મુંબઈમાં 111.77 રૂપિયા તો અને ત્યા ડિઝલના ભાવ 102.52 રૂપિયા પહોચી ગયો છે.
ચેન્નઈમાં 103.01 રૂપિયા લીટર પેટ્રોલ
કલકત્તામાં પણ પેટ્રોલના ભાવ 106.43 રૂપિયા પહોચી ગયો છે. જ્યારે ડિઝલનો ભાવ 97.668 રૂપિયા પહોચી ગયો છે. જ્યારે ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 103.01 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 98.92 રૂપિયા પહોચી ગયો છે.
પેટ્રોલના વધતા ભાવથી લોકો હેરાન પરેશાન
ઉલ્લેખનીય છે કે કેન્દ્રી. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગૈસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આજે વધતા ભાવોને લઈને ઈશારામાં કહી દીધું કે હાલ દેશમાં પેટ્રોલના ભાવ નહી ઘટવાના. જોકે પેટ્રોલના વધતા ભાવને કારણે હાલ સામાન્ય માણસોને ઘણી તકલીફ પડી રહી છે. તેવામાં હજું પણ ભાવ નહી ઘટે એટલે લોકોને હજુ વધારે તકલીફ પડી શકે છે.