યુક્રેન યુદ્ધ, દિલ્હી હિંસા અને લાઉડ સ્પીકર વિવાદ મામલે હદ બહાર જઈને કવરેજ કરનાર ટીવી ચેનલોને સરકારે લાલ આંખ દેખાડીને એક એડવાઈઝરી જારી કરી છે.
ટીવી ચેનલો માટે સરકારે જારી કરી ગાઈડલાઈન્સ
યુક્રેન યુદ્ધ, દિલ્હી તોફાનો અને લાઉડ સ્પીકર વિવાદની વચ્ચે આવી ગાઈડલાઈન્સ
ખોટા દાવા અને ખળભળાવનારી હેડલાઈન્સ ન ચલાવો-સરકારની સલાહ
આદેશનું પાલન ન કરનાર ચેનલોની સામે કાર્યવાહી-સરકાર
રશિયા-યુક્રેન કવરેજ, જહાંગીરપુરી વિવાદ અને લાઉડ સ્પીકર મામલે હદ બહારનું ન્યૂઝ કવેરજ ધ્યાનમાં આવતા સરકારે ન્યૂઝ ચેનલોને લાલ આંખ દેખાડીને એક એડવાઈઝરી જારી કરી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટીવી ચેનલોના રશિયા-યુક્રેન કવરેજ, જહાંગીરપુરી વિવાદ અને લાઉડસ્પીકર પર ચર્ચા શો પર નારાજગી વ્યક્ત કરી છે, જ્યારે ન્યૂઝ ચેનલોને એક એડવાઇઝરી જારી કરીને તેમને ઉશ્કેરણીજનક, અસામાજિક, અસંસદીય અને ઉશ્કેરણીજનક હેડલાઇન્સથી બચવા માટે કહેવામાં આવ્યું છે, કેન્દ્રએ કહ્યું હતું કે કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ (રેગ્યુલેશન એક્ટ) 1995 ના નિર્દેશોનું કડક પાલન કરવું જોઈએ. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ પ્રાઈવેટ ન્યૂઝ ચેનલોને ખોટા દાવાઓ અને ચકચારી હેડલાઈન્સથી દૂર રહીને હદમાં રહીને કવરેજ આપવાની સલાહ આપી છે.
Union Ministry of Information & Broadcasting has today advised private TV news channels against making false claims & using scandalous headlines. Ministry has called for adherence to provisions of Section 20 of The Cable Television Networks (Regulation) Act, 1995: I&B Ministry
સરકાર ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે જે ચેનલો આદેશનું પાલન નહી કરે તેમના પર પ્રતિબંધ આવી શકે છે. એડવાઈઝરીમાં જણાવાયું છે કે ટેલિવિઝન નેટવર્ક્સ (રેગ્યુલેશન) એક્ટ, 1995ની કલમ 20 કેન્દ્રને ટીવી ચેનલો સામે યોગ્ય પગલાં લેવાની સત્તા આપે છે. એડવાઈઝરીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો કોઈ પણ કાર્યક્રમ નિયત સૂચનાઓનું પાલન નહીં કરે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.જહાંગીરપુરીની ઘટના અને તે દરમિયાન અલગ અલગ ડિબેટ શો સામે વાંધો ઉઠાવતા માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટીવી ચેનલોને એડવાઈઝરી જાહેર કરી હતી અને આ દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ટીવી ચેનલોમાં બિનઅધિકૃત, ભ્રામક, સનસનીખેજ અને અસ્વીકાર્ય ભાષાનો ઉપયોગ સામાજિક વાતાવરણમાં કરવામાં આવ્યો હતો.
ન્યૂઝ એન્કરો અને પત્રકારોએ મનપંસદ, ઉપજાવી કાઢેલી માહિતી રજૂ કરી-સરકાર
યુક્રેન-રશિયા વિશેના ખોટા દાવાઓ અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓને સતત ખોટી રીતે ટાંકવામાં આવતા સમાચારો સાથે કોઈ લેવાદેવા ન હોવાનું મથાળું આપવામાં આવ્યું હતું, અને પ્રેક્ષકોને ઉત્તેજિત કરવા માટે, પત્રકારો અને ન્યૂઝ એન્કરોએ તેમની મનપસંદ, ઉપજાવી કાઢેલી માહિતી પીરસી હતી.ન્યૂઝ ચેનલોએ જહાંગીરપુરી કેસ અને કોમી હિંસા ભડકાવનારા વીડિયો વિશેની હેડલાઇન્સ ચલાવી હતી. ખોટા દાવાઓ અને ચકચારી હેડલાઈન્સ ન બનાવો-સરકાર
રશિયા યુક્રેન યુદ્ધ અને દિલ્હી તોફાનોના ટેલિવેઝન કવરેજનો વાંધો ઉઠાવતા મંત્રાલયે શનિવારે ન્યૂઝ ચેનલોને આકરી ચેતવણી આપીને કહ્યું કે ચેનલોએ લાગુ પડતા કાયદા દ્વારા નક્કી થયેલા પ્રોગ્રામ કોડ પ્રમાણે ન્યૂઝ આપવાના રહેશે. આવી ચેતવણી આપતી વખતે સરકારે ન્યૂઝ ચેનલોને યુક્રેન રશિયા યુદ્ધ અને દિલ્હી તોફાનોના કવરેજમાં ન્યૂઝ એન્કર્સના બિનસંવેદનશીલ સ્ટેટમેન્ટ અને ચકચારી હેડલાઈન્સનું ઉદાહરણ આપ્યું હતું.
Govt takes exception to television coverage of Ukraine-Russia conflict, Delhi riots; 'strongly advises' channels to follow rules: Advisory
ન્યૂઝ ચેનલોએ યુક્રેન યુદ્ધ અને દિલ્હી હિંસા પર બેજવાબદાર કવરેજ કર્યું-સરકાર
સરકારે ન્યૂઝ ચેનલોને એવું પણ કહ્યું કે કેટલીક ન્યૂઝ ચેનલોએ નોર્થ વેસ્ટ દિલ્હી હિંસાના મુદ્દે બિનલોકતાંત્રિક અને ઉશ્કેરણીજનક અને સામાજિક રીતે અસ્વીકૃત ભાષાનો ઉપયોગ કર્યો છે. એડવાઈઝરીમાં સરકારે એવું પણ કહ્યું કે માહિતી આપવામાં ન્યૂઝ ચેનલોએ હદ વટાવી છે. આથી સરકારે કહ્યું કે ન્યૂઝ ચેનલોને કડક સલાહ છે કે તેમણે તાત્કાલિક કેબલ ટેલિવિઝન નેટવર્કની જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર સમાચાર કે માહિતી આપવામાંથી વહેલી તકે બંધ કરી દેવું જોઈએ.
Govt raps news channels over communally surcharged TV debates
કેટલીક વાંધાજનક હેડલાઇન્સના ઉદાહરણ
તમામ ટીવી ચેનલોને મોકલવામાં આવેલા આ પત્રના અંતમાં કેટલીક વાંધાજનક હેડલાઇન્સના ઉદાહરણ આપવામાં આવ્યાં છે.
(1) 18 એપ્રિલ 2022 ના રોજ, એક ચેનલે 'યુક્રેનમાં અણુ હલચલ' સમાચાર ચલાવ્યા. કહેવામાં આવ્યું હતું કે રશિયા યુક્રેન પર પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું છે. આ અહેવાલે બિનજરૂરી રીતે પરિસ્થિતિને સનસનાટીભરી બનાવી દીધી હતી. આ રિપોર્ટમાં આંતરરાષ્ટ્રીય એજન્સીઓને ખોટી રીતે ટાંકવામાં આવી હતી.
(2) 18 એપ્રિલ 2022ના રોજ 'ઝેલેન્સકી પરમાણુ પુતિનથી નારાજ' જેવા અનેક પાયાવિહોણા સનસનાટીભર્યા સમાચારો ચલાવવામાં આવ્યા હતા. ઘણા અપ્રમાણિત દાવા કરવામાં આવ્યા હતા, 'અધિકૃત રશિયન મીડિયાએ કહ્યું છે કે ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ ગયું છે.' ચેનલે ખોટા દાવા સાથે વીડિયો બતાવ્યો હતો કે રશિયન રાષ્ટ્રપતિ તેમની સાથે પરમાણુ બ્રીફકેસ લઈ ગયા હતા.
(3) 19 એપ્રિલ 2022ના રોજ, એક ચેનલે પરમાણુ યુદ્ધ પર સનસનાટીભર્યો દાવો કર્યો હતો. મથાળું કર્યું, 'પરમાણુ લક્ષ્ય, વિશ્વ યુદ્ધનો આશ્ચર્યજનક ખુલાસો'.
(4) એક અગ્રણી ચેનલે કહ્યું 'યુક્રેન પુતિનના ન્યુક્લિયર પ્લાન માટે તૈયાર છે?' હેડિંગ સાથે પ્રેક્ષકોને મૂંઝવણમાં મૂક્યા. ચેનલ વારંવાર આવી ગૂંચવણભરી અને અસંબંધિત ટેગલાઈનનો ઉપયોગ કરી રહી છે.
(5) 19 એપ્રિલ 2022 ના રોજ, એક ચેનલે પ્રાઇમ ટાઇમ દરમિયાન અટકળો પર ટિપ્પણી કરી કે 'એટમ બોમ્બ પડી જશે? ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થશે.
(6) મારીયુપોલ 20મી એપ્રિલે સમાપ્ત! ફુલ એન્ડ ફાઈનલ અને 'યે રાત કયામત વાલી હૈ?' જેવા હેડિંગ સાથે ખોટા દાવા કર્યા.
માયકોલાઈવથી રિપોર્ટિંગ કરતી વખતે એક ચેનલના પત્રકારે ઘણી ખોટી વાતો કહી. તેણે પૂછ્યું, 'રશિયા ક્યારે પરમાણુ હુમલો કરશે? તમે ક્યાં કરશો?' તેમ જણાવ્યું હતું. ટેગલાઇન હતી 'ધ વર્લ્ડ એજ એજ ઓફ વર્લ્ડ વોર.