ગુજરાતમાં કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે નાગરિક સહિત સરકારની પણ ચિંતા વધી છે. ત્યારે આજરોજ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યમાં વેક્સિનેશનને લઈને ચોંકાવનારી વિગતો જાહેર કરી છે.
ગુજરાતમાં પણ વેક્સિન વેડફાઇ રહી છે
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં 5.3% વેક્સિનન વેડફાઇ છે
ઉલ્લેખીય છે કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની પત્રકાર પરિષદ કરી હતી. જેમાં ગુજરાતના ચાલતા વેક્સિનેશનને લઇને ચોંકાવનારી વિગત જાહેર કરી હતી. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં પણ વેક્સિનનો ઉપયોગ થઈ રહ્યો નથી.
ગુજરાતમાં 5.3% વેક્સિનન વેડફાઇ
આ સાથે જ ગુજરાતમાં પણ વેક્સિન વેડફાઇ રહી હોવાની આરોગ્ય વિભાગે જાણકારી આપી છે. ગુજરાતમાં 5.3% વેક્સિનન વેડફાઇ રહી છે. તો તેલગાંણામાં સૌથી વધુ 17% વેક્સિન વેડફાઇ રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આંકડા જાહેર કર્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેક્સિનેસને લઈને વ્યક્ત કરી નારાજગી
નીતિ આયોગના સભ્ય ડો.વી.કે પાલે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તમામ મુખ્યમંત્રીઓ સાથેની બેઠક દરમિયાન કહ્યું હતું કે, ટીયર 2 અને 3 શહેરોમાં ટેસ્ટ, હોસ્પિટલમાં દેખભાળ સુવિધાઓને મજબૂત કરવાની આવશ્યકતા છે. આજનો સૌથી મહત્વનો વિકાસ એ છે કે, પ્રધાનમંત્રીએ રાજ્યો અને કેન્દ્ર શાસિત રાજ્યોની સાથે કોરોનાના વધતા કેસ અને રસીકરણ પર વિસ્તૃત ચર્ચા કરી.પ્રધાનમંત્રીએ વેક્સિનના વેડફાડ અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, આ એક કિંમતી વસ્તુ છે.
LIVE: Media briefing on actions taken, preparedness and updates on #COVID19 at National Media Centre, #NewDelhi
ગુજરાતમાં કોરોનાનો પોઝિટિવિટી દર વધ્યો હોવાની ચિંતા વ્યકત કરી છે. ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા પોઝિટિવિટી દર 2 ટકાથી વધીને 4 ટકા થયો છે.
કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની કરી અપીલ
લોકો માસ્ક અને 2 ગજની દૂરીનું પાલન ન કરતા હોવાથી આ સ્થિતિ ઉભી થઈ હોવાનું નિવેદન સ્વાસ્થ્ય મંત્રાલય આપી છે. મહેસાણા, સુરત, ભાવનગરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. હાલ તમામ લોકોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે તેવી અપીલ કરી છે.
સુરતમાં શહેર બહારથી આવતા લોકોએ રહેવુ પડશે હોમ-કોરોન્ટાઈન
સુરતમાં હવે શહેર બહારથી આવતા લોકોએ સાત દિવસ માટે હોમ કોરોન્ટાઈન રહેવું પડશે. સુરત શહેરમાં બહારથી આવતા લોકો માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને અને ફરજિયાત રૂપે બહારથી આવતા લોકો માટે સાત દિવસ માટે હોમ-કોરોન્ટાઈનનો નિયમ બનાવવામાં આવ્યો છે. નોંધનીય છે કે જો આ જાહેરનામાનો ભંગ કરવાં આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં કોરોના વાયરસના વધતાં કેસણે ધ્યાને રાખીને આ નિણર્ય લેવામાં આવ્યો છે.
એક સપ્તાહ માટે ટ્યુશન, શાળા અને કોલેજોમાં ઓનલાઇન શિક્ષણ
સુરત મહાનગર પાલિકાએ મહત્વનો આદેશ આપ્યો છે. સુરતમાં અત્યાર સુધીમાં 192 વિદ્યાર્થી કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે. ત્યારે સુરત મહાપાલિકાએ 7 દિવસ સુધી ટ્યુશન ક્લાસીસ બંધ કરવા આદેશ આપ્યો છે. ટ્યુશન કલાસીસ માત્ર ઓનલાઇન ચાલુ રહેશે. તો શાળા અને કોલેજમાં 7 દિવસ ઓનલાઈન શિક્ષણ રહેશે. માત્ર પરીક્ષા જ ઓફલાઈન લેવાશે. મનપાના નિર્ણય બાદ ક્લાસીસ સંચાલકોએ ક્લાસ બંધ કર્યા છે. ટ્યુશન ક્લાસ બંધ કરાતા આજથી ઓનલાઇન શિક્ષણ અપાશે. નિયમનો ભંગ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થશે.
મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુના સમયમાં કરાયો ફેરફાર
રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણને લઈને મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આજથી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કર્ફ્યૂની મુદ્દત 31મી માર્ચ સુધી લંબાવવામાં આવી છે. ત્યારે અમદાવાદમાં સતત કોરોના સંક્રમણ વધતા એક બાદ એક નિર્ણયો લેવામાં આવી રહ્યો છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા આવતીકાલથી શહેરના પાર્ક તથા ગાર્ડનને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અન્ય આદેશ ના આવે ત્યાં સુધી અમદાવાદ શહેરના તમામ 273 ગાર્ડનને બંધ રાખવામાં આવશે. તો કાંકરિયા લેકફ્રન્ટ તેમજ પ્રાણી સંગ્રહાલય પણ 18 માર્ચથી(ગુરૂવાર) અચોક્કસ મુદ્દત માટે બંધ મનપાએ આદેશ આપ્યો છે.
ગુજરાત કોરોના કેસ(16-3-2021)
સુરત અને અમદાવાદમાં કોરોના ભયાનક બનતો જાય છે. શહેરમાં જે રીતે કોરોનાના કાળોતરા નાગે ફૂંફાડા મારવા લીધા છે તેનાથી નાગરિકોએ તત્કાળ સ્વયંભૂ કોરોનાથી બચવા આત્મશિસ્તને અપનાવવી પડશે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર, છેલ્લા 24 કલાકમાં 954 નવા દર્દી જ્યારે 703 દર્દીઓ સાજા થયાં છે. ગઇકાલે અમદાવાદમાં 2 દર્દીઓનું સારવાર દરમિયાન મોત થયું છે. તો સુરત શહેરમાં 263 કેસ અને ગ્રામ્યમાં 29 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 241 નવા કેસ, જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 6 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 92 કેસ, જ્યારે ગ્રામ્યમાં 17 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 80 કેસ અને ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે.