કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઇક કાર અકસ્માતનો ભોગ બન્યા છે. આ દુર્ઘટનામાં નાઇકની પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જોકે નાઇકના પત્નીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. અકસ્માત સર્જાતા ગોવાની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. શ્રીપદ નાઇક કેન્દ્રમાં આયુર્વેદ, યોગ અને પ્રાકૃતિક ચિકિત્સા, યૂનાની, સિદ્ધ અને હોમિયાપૈથી મંત્રાલયની સાથોસાથ રક્ષા મંત્રાલયના રાજ્યમંત્રી છે.
કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઇકને નડ્યો અકસ્માત
અકસ્માતમાં શ્રીપદ નાઇક ઇજાગ્રસ્ત, તેમની પત્નીનું મોત
કર્ણાટકના કન્નડ જીલ્લાના અકોલામાં બની દુર્ઘટના
કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઇક અને તેમના પત્નીને સોમવારે અકસ્માત નડ્યો. કાર અકસ્માતમાં શ્રીપદ નાઇક ઇજાગ્રસ્ત થયા છે જ્યારે તેમના પત્નીનુ મોત થયું છે. દુર્ઘટના બાદ બન્ને લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સારવાર પાદ શ્રીપદની હાલત સ્થિર બતાવાઇ રહી છે અને તેઓ સચેત છે. પરંતુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત તેમની પત્નીએ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. જણાવાઇ રહ્યું છે કે, શ્રીપદ નાઇકની કારમાં લોકો સવાર હતા.
જે સમયે આ દુર્ઘટના બની તે સમયે બન્ને લોકો યાત્રા કરી રહ્યા હતા. આ દુર્ઘટના કર્ણાટકના કન્નડ જીલ્લાના અકોલામાં બની છે. આ દરમિયાન શ્રીપદ નાઇક પોતાની પત્નીની સાથે જઇ રહ્યા હતા. મળતી માહિતી અનુસાર, દુર્ઘટના બાદ શ્રીપદ નાઇકની પત્ની બેભાન હતી અને તેમને ઘણી વાર સુધી હોશ ન આવ્યો. બાદ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા છે.
Karnataka Chief Minister BS Yediyurappa condoles the death of Union Minister Shripad Naik's wife Vijaya Naik: Karnataka Chief Minister's Office (CMO)
The Minister and his wife met with an accident while going from Yellapur to Gokarna in Karnataka, earlier this evening. https://t.co/txAQZm0Lz6