ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રમાં રાજ્યમંત્રી રાવસાહેબ દાનવે પાટિલને મહારાષ્ટ્રની રાજનીતિને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. તેઓએ ભાજપ કાર્યકર્તાઓને કહ્યું કે આવનારા 2-3 મહિનામાં રાજ્યમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે.
રાજકારણમાં ફરી ઉથલપાથલ
કેન્દ્રીય મંત્રી રાવ સાહેબ દાનવેનું નિવેદન
મહારાષ્ટ્રમાં બનશે ભાજપની સરકાર
ભાજપ-શિવસેનાના નેતા વચ્ચે બેઠક
વિધાન પરિષદ ચૂંટણી પ્રચારમાં રાવ સાહેબ દાનવે કાર્યકર્તાઓને કહ્યું કે એમ ન સમજો કે રાજ્યમાં ભાજપની સરકાર નહીં બને. તમને ચોખ્ખું કહું છું કે આવનારા 2-3 મહિનામાં મહારાષ્ટ્રમાં અમારી સરકાર બનવા જઈ રહી છે તમે લોકો તેને યાદ રાખજો.
રાવ સાહેબ દાનવે નથી કર્યો પ્લાન જાહેર
તેઓએ ભાજપના કાર્યકર્તાઓને કહ્યું કે રાજ્યમાં સરકરા કેવી બનશે તે હું તમને જણાવીશ નહીં. આ વાત સરકાર બન્યા બાદ જાણવા મળશે. તેઓએ કહ્યું કે આપણે ફક્ત રાહ જોઈ શકીએ છીએ. રાવ સાહેબે કહ્યું કે અમે ફક્ત રાહ જોઈ રહ્યા છીએ કે આ ચૂંટણી ખતમ થઈ જાય.
કાર્યકર્તાઓનો જોશ વધારતા તેઓએ કહ્યું કે વિધાન પરિષદમાં સ્નાતક નિર્વાચન વિસ્તારની ચૂંટણી અમારા કાર્યકર્તાઓએ સારી રીતે લડી છે અને સાથે મહારાષ્ટ્રમાં તેમની સરકાર આવશે. ચૂંટણીમાં અમારા ધારાસભ્યો જીતશે અને સાથે તેમની જીત થશે.ભાજપની વિરુદ્ધમાં જે દળ મેદાનમાં ઉતર્યા છે તે રાજતીય દળોને એક મેક પર ભરોસો નથી.