કેન્દ્રીય મંત્રી રામદાસ અઠ્ઠાવલેના એક નિવેદને પાછલાં ઘણા દિવસોથી ચાલી રહેલી રાજનૈતીક હલચલને વધુ હવા આપી દીધી છે.
મહારાષ્ટ્રમાં રાજનૈતિક હલચલ તેજ
રામદાસ અઠાવલેના નિવેદનથી રાજકારણ ગરમાયુ
મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેના બનાવી શકે છે સરકાર
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાતે રાજનૈતિક હલચલ ઝડપી કરી દીધી છે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેના એક નિવેદને પાછલાં ઘણા દિવસોથી ચાલી રહેલી રાજનૈતીક હલચલને વધુ હવા આપી દીધી છે. હકીકતે રામદાસ અઠાવલેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં પૂર્વ સહયોગી ભાજપા અને શિવસેના સહિત અન્ય પક્ષ મળીને ફરી સરકાર બનાવી શકે છે. તેમણે જણાવ્યું કે આ ગઠબંધન બાદ મુખ્યમંત્રી પદને અડધા-અડધા કાર્યકાળ માટે શિવશેના સાથે વહેચી દેવામાં આવી શકે છે.
પીએમ મોદી સાથે આ પ્રસ્તાવ પર કરશે ચર્ચા
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે આ મુદ્દા પર ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની સાથે તેમની વાતચીત થઈ ચુકી છે અને ટૂંક સમયમાં તે પ્રધાનમંત્રી મોદીની સામે આ પ્રસ્તાવ પર ચર્ચા કરશે. રામદાસ અઠાવલેનું આ નિવેદન ત્યારે આવ્યું છે કે જ્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે થોડા દિવસો પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મળવા દિલ્હી આવ્યા હતા.
મહત્વનું છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીને મળ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે પીએમે અમારી દરેક વાતોને ગંભારતાથી સાંભળી. તેમણે જણાવ્યું કે તેમની મુલાકાત મરાઠા આરક્ષણ, જીએસટી સહીત ઘણા સંવેદનશીલ મુદ્દાઓ પર થઈ હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટ કહ્યું કે તે મુલકાત ખાનગી હતી. તે કોઈ રાજનૈતિક મુલાકાત ન હતી. તેમણે એ વાત પર ભાર મુક્યો કે પીએમ મોદીની સાથે તેમના સંબંધ સારા છે. તેમણે કહ્યું કે, 'અમે ભલે રાજકીય રીતે જોડે નથી પરંતુ તેનો મતલબ એ નથી કે અમારા સંબંધ તૂટી ગયા છે. હું કોઈ નવાજ શરીફને મળવા ન હતો ગયો. જો હું પીએમને ખાનગી રીતે મળવા જવ છું તો તેમાં કંઈ ખોટુ નથી. '