મહારાષ્ટ્રના સાંગલીમાં એક કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કરી આ ખાસ માંગ, કહ્યું,પત્ની સારા અને ખરાબ બંને સમયે પતિની પડખે રહે છે.
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેનું નિવેદન
મધર્સે ડેની જેમ વાઇફ ડે હોવો જોઇએ
“દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે''
મહારાષ્ટ્રથી આવેલા આ દલિત નેતા પોતાના રસપ્રદ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. અઠાવલેએ સંસદના સત્રોમાં પોતાની કવિતાઓની શૈલીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મોટા નેતાઓનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. તાજેતરમાં કેન્દ્રીય મંત્રીએ પણ કાવ્યાત્મક શૈલીમાં કોંગ્રેસના નેતા શશિ થરૂર પર નિશાન સાધ્યું હતું. ત્યારે ફરી એકવાર પોતાના વિવાદિત નિવેદનોથી ચર્ચામાં રહેનારા કેન્દ્રીય મંત્રીએ રામદાસ આઠવલે એવું નિવેદન આપી દીધુ કે ચર્ચાનો માહોલ બની ગયો.
'વાઇફ ડે પણ ઉજવવો જોઇએ'
કેન્દ્રીય સામાજિક ન્યાય રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ રવિવારે મહારાષ્ટ્રના સાંગલીમાં એક કાર્યક્રમમાં સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓએ કહ્યું કે મધર્સ ડેની જેમ 'વાઈફ ડે' પણ ઉજવવો જોઈએ. 'માતા બાળકને જન્મ આપે છે જ્યારે પત્ની સારા અને ખરાબ બંને સમયે તેના પતિની સાથે રહે છે'. વધુમાં કહ્યું કે, “દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે. તેથી, આપણે પત્ની દિવસ ઉજવવો જોઈએ.' તમને જણાવી દઈએ કે સમગ્ર વિશ્વમાં મે મહિનાના દરેક બીજા રવિવારે મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે.
વિપક્ષને ટોણો મારવાની તક છોડતા નથી
મહત્વનું છે કે રામદાસ આઠવલે કોઇ ટોણો મારવાનું ક્યારેય ચૂકતા નથી તેમાં પણ વિપક્ષ પર ટોણો મારવાની એક પણ તક છોડતા નથી. ગત ફેબ્રુઆરીમાં
રાષ્ટ્રપતિના અભિભાષણ માટે આભાર પ્રસ્તાવ પર ચર્ચામાં આઠવલે ભાગ લેવા પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતાઓ મલ્લિકાર્જુન ખડગે અને આનંદ શર્માએ પક્ષ બદલીને NDAમાં જોડાવું જોઈએ. આ નિવેદનને લઈને ગૃહમાં હોબાળો થયો હતો.
રાજ ઠાકરેની માફી માંગવા કહ્યું
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સુપ્રીમો રાજ ઠાકરે 5 જૂને અયોધ્યાની મુલાકાતે જવાના છે જેનો ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે તેમની મુલાકાતનો વિરોધ કર્યો હતો. બીજેપી સાંસદે કહ્યું કે જ્યાં સુધી રાજ ઠાકરે ઉત્તર ભારતીયોની માફી નહીં માંગે ત્યાં સુધી તેઓ તેમને અયોધ્યામાં પ્રવેશવા દેશે નહીં.તો કેન્દ્રીય મંત્રી આઠવલેએ આ મુદ્દે પણ પોતાનો સૂર પુરાવ્યો. કહ્યું કે રાજ ઠાકરેએ ઉત્તર ભારતીયોની માફી માંગવી જોઈએ.