મંત્રી પ્રકાશ જાવડેકરે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, આપણું ભાગ્ય છે કે, ''પ્રધાનમંત્રી એક સારા કમ્યૂનિકેટર છે અને તેમણે જેટલા પણ ભાષણ આપ્યા, મનની વાત કરી, જનતા તેમની સાથે જ રહી છે.''
જી હા, તાજેતરમાં જ પ્રકાશ જાવડેકરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ કે, ''પ્રધાનમંત્રી સૌથી સારા કમ્યૂનિકેટર છે અને જનતા તેમની વાત માને છે. તેમણે જે કહ્યુ તે લોકોએ માન્યુ છે, તેમણે દીવા કરવા માટે કહ્યુ લોકોએ કર્યા. એવા લોકોએ પણ દીવા પ્રગટાવ્યા જેમના ઘર પણ ન હતા. અમે આ બિમારીથી ના ડરવાની વાત સતત કરી રહ્યા છીએ પરંતુ બે ગજની દૂરી ખૂબ જ જરૂરી છે અને વારંવાર હાથ ધોવા પર જોર આપી રહ્યા છીએ। અમે કહી રહ્યા છીએ કે, ઘરમાં રહો અને સુરક્ષિત રહો પરંતુ જ્યારે પણ બહાર જાઓ ત્યારે માસ્ક જરૂરથી પહેરો.''
પ્રકાશ જાવડેકરે આગળ કહ્યુ કે, હું લોકોને અપીલ કરું છું જ્યાં છો ત્યાં જ રહો. જો તમે'' બીજા રાજ્યમાં જવા ઇચ્છો છો તો નિયમ બનાવવામાં આવ્યા છે. આ માટે ઑનલાઇન રજિસ્ટ્રેશન કરાવીને રાહ જુઓ. સરકાર અને સામાજિત સંગઠન તમારી જવાબદારી ઉઠાવશે. જો આવું ના થાય તો ભાજપના કાર્યકર્તાઓ છે, ચાલતા ના જાઓ, આમ કેવી રીતે પહોંચશો. વિશ્વાસ રાખો યોગ્ય રીતે તમને ઘર સુધી પહોંચાડવામાં આવશે.''
આ સિવાય લૉકડાઉન વિશે વાત કરતા કહ્યુ કે, ''સમસ્યાઓ ઘણી છે પરંતુ લૉકડાઉનને કરાણે પ્રદુષણમાં ઘટાડો થઇ રહ્યો છે. લૉકડાઉને નદીઓ અને પર્યાવરણ સાફ રાખવાનો રસ્તો બતાવ્યો છે, આગળ પણ ધ્યાન રાખવું જોઇએ કે, નદીઓ ગંદી ના થાય.''
જોકે ન્યૂઝપેપરને લઇને વાત કરતા મંત્રીએ કહ્યુ કે, ''આ સંકટના સમયમાં ખબર નહી કેમ શું વિચારીને લોકો ન્યૂઝપેપર નથી લઇ રહ્યા, આ બિલ્કુલ યોગ્ય નથી. ન્યૂઝપેપર સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને લોકો આ સમયે સમાચાર વાંચવા જોઇએ. બીજી તરફ મુંબઇ પૂણેમાં રાજ્ય સરકારે બંધ કરી દીધુ છે. જો ડોર ડિલિવરી થઇ રહી છે તો પછી ન્યૂઝપેપરની કેમ નહી ?''