એકબાજુ દેશમાં કોરોનાના સતત વધતાં જતા કેસોની વચ્ચે દેશનું આરોગ્ય માળખું તૂટી પડવાની ધારણા સેવાઇ રહી છે, મોદી સરકારની આલોચના વધી રહી છે, ત્યારે પણ કેન્દ્રીય મંત્રી કેવી તુમારશાહી દાખવી રહ્યા છે, તેનો વિડીયો બહાર આવ્યો છે.
મધ્ય પ્રદેશના દમોહની છે ઘટના
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ મુલાકત કરી રહ્યા હતા
દર્દીના સગાએ ફરિયાદ કરતાં ફડાકા ઝીંકવાની આપી ધમકી
મધ્ય પ્રદેશના દમોહ જિલ્લામાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ હોસ્પિટલમાં સુવિધાઓની અછતની ફરિયાદ કરી રહેલા દર્દીના સ્વજનોને ધમકી આપી રહ્યા હોય અને થપ્પડ મારવાનું કહી રહ્યા હોય તેવો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે આ વિડીયોમાં
કોરોનાની બીજી લહેર દેશ માટે ઘાતક બની રહી છે
કોરોનાની બીજી લહેર જ્યાં એકબાજુ સમગ્ર દેશ માટે ઘાતક પુરવાર થઈ રહી છે, લોકો બેડ, ઓક્સિજન અને દવાઓના સામગ્રી વગર તડફડી રહ્યા છે, મરી રહ્યા છે, ત્યારે હોસ્પિટલોમાં સુવિધાઓના અભાવમાં સામાન્ય માણસ ઈલાજ કરાવવા મજબૂર બન્યો છે, આવા સમયે મોદી સરકારના એક મંત્રી પ્રહલાદ પટેલનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ હોસ્પિટલમાં સુવિધાઓની અછત વિશે ફરિયાદ કરતાં દર્દીના સગાવ્હાલાઓને થપ્પડ મારવાની ધમકી આપી રહ્યા હોવાનું નજરે પડે છે.
મહત્વનું છે કે આ ઘટના મધ્ય પ્રદેશના દમોહની છે, જ્યાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ આજે ચિકિત્સા સુવિધાઓનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા, આ દરમિયાન અમુક દર્દીઓના સ્વજનો તેમને સુવિધાઓની ફરિયાદ કરવા પહોંચ્યા હતા, એક દર્દીના સગાએ ઓક્સિજનની અછતની ફરિયાદ કરી હતી, જેને લઈને કેન્દ્રીય મંત્રી ભડકી ગયા હતા અને દર્દીના સ્વજનને હડકાવી મૂકતાં કહ્યું હતું કે ચૂપ થાવ નહીં તો બે ફડાકા ઝીંકી દઇશ.
જો કે આના પછી દર્દીના તે સગાએ કહ્યું હતું કે એકબાજુ મારી માં મરી રહી છે, અને મને ખાવાની પડી છે, જો કે આના પછી મંત્રી થોડા નરમ પડ્યા હતા, પણ આ વિસ્તારના લોકોએ સ્થાનીય સાંસદની પણ ઘણી ફરિયાદો કરી હતી, તેમણે સાંસદ પર પોતાનો રોષ જાહેર કર્યો હતો.
કેન્દ્રીય મંત્રીની તુમાખીશાહી
જો કે મહત્વનું છે કે એકબાજુ એમ્સના ડિરેક્ટર કોરોના વધવાના કારણોમાં ચૂંટણીને પણ એક મુખ્ય કારણ તરીકે ગણાવી ચૂક્યા છે અને વિવિધ જગ્યાએ હાઇકોર્ટ અને આજે તો સુપ્રીમ કોર્ટે પણ કોરોના મુદ્દે સ્વત: સંજ્ઞાન લઈને કેન્દ્ર સરકારનો કાન આમળ્યો છે અને નોટિસ ફટકારીને ચાર અલગ અલગ મુદ્દે ખુલાસા માંગ્યા છે, પીએમ મોદી પોતે પણ રેલીઓ છોડીને સ્થિતિને કાબૂમાં લેવા મીટિંગ કરી રહ્યા છે, આરોગ્ય સુવિધાઓના અભાવ વચ્ચે દેશનો સામાન્ય માણસ જીવન અને મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે, ત્યારે શું કેન્દ્રીય મંત્રીએ આ હદની અસંવેદનશીલતા અને તુમાખીશાહી દાખવી તે કઇ રીતે યોગ્ય ગણી શકાય?