કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાય તેવી સંભાવનાઓ છે. વર્તમાન મુખ્યમંત્રી યેદીયુરપ્પા પોતે આ અંગે ઈશારો કરી ચૂક્યા છે ત્યાંરે ભાજપના જ એક નેતાએ મોટું નિવેદન આપ્યું છે.
કર્ણાટકના મુખ્યમંત્રી યેદીયુરપ્પા પોતે જ ઈશારો કરી ચૂક્યા છે કે તેઓ પક્ષના નિર્ણયની રાહ જોઈએ રહ્યા છે. આગામી 26 તારીખે યેદીયુરપ્પા સરકારને 2 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે એક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમના એકાદ દિવસ પહેલાં નવા ચહેરાની જાહેરાત થવાની સંભાવના છે.
પ્રહલાદ જોશીનું નિવેદન
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીનું નામ કર્ણાટકના આગામી મુખ્યમંત્રી તરીકે ચર્ચાઇ રહ્યું છે. પરંતુ મીડિયા સાથે ચર્ચા દરમિયાન તેમણે કહ્યું હતું કે તેમણે આ અંગે કોઈએ જણાવ્યું નથી. આ ઉપરાંત યેદીયુરપ્પાના રાજીનામાં અંગે પણ તેમણે કોઈ જાણ કરવામાં નથી આવી. તેમણે કહ્યું હતું કે તેઓ જો અને તો જેવા પૂર્વધારણા આધારિત સવાલોના જવાબો નથી આપતા.
ભાજપમાં કોઈ હાઇ કમાન્ડ નથી
તેમણે કહ્યું હતું કે ભાજપમાં કોઈ હૈ કમાન્ડ નથી. ભાજપમાં રાષ્ટ્રીય નેતાગીરી છે હાઇકમાન્ડ નહીં . અગાઉ રાજનાથ સિંહ હતા ત્યાર બાદ ટોચની નેતાગીરીમાં નીતિન ગડકરી હતા. નીતિન ગડકરી બાદ અમિત શાહ અને હવે જે પી નડ્ડા અધ્યક્ષની જવાબદારી નિભાવી રહ્યા છે. અમારી પાસે આ ઉપરાંત પ્રધાન મંત્રી મોદી અને અમિત શાહ જેવા નેતાઓ પણ છે તેઓ જ આખરી નિર્ણય લેતા હોય છે.
જોશીએ કહ્યું હતું કે મીડિયામાં જે પૂર્વધારણાઓ ચાલતી હોય એ પરંતુ યેદીયુરપ્પાના પુરોગામી બનવા અંગે મારી સાથે કોઈએ ચર્ચા કરી નથી. આ ચર્ચા માત્ર મીડિયામાં જ થતી હોય છે પરંતુ મારી સામે આ વાત આવી ન હોવાથી તેના વિશે ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી.
યેદીયુરપ્પા પોતે કરી ચૂક્યા છે ઈશારો
અગાઉ પોતે જ પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપવાની વાતને નકારી ચૂક્યા બાદ યેદીયુરપ્પાએ પોતે જ ઈશારો કર્યો હતો કે કદાચ આવતા અઠવાડિયે તેઓ મુખ્યમંત્રી નહીં રહે. આગામી 26 તારીખે આ સરકારને 2 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે જેના એકાદ દિવસ પહેલાં ભાજપની રાષ્ટ્રીય નેતાગીરી દ્વારા મોટી જાહેરાત થવાની સંભાવના છે.