કપડાં પર GSTનો દર 5 થી વધારી 12% મુદ્દે આપ્યું નિવેદન કહ્યું બેઠકમાં કોઈ રાજ્યએ વિરોધ ન કર્યો, અમે 5% કરવા રજૂઆત કરી છે
કપડા પર 12 ટકા GSTનો મામલો
મંત્રી દર્શનાબેન જરદોશનું મોટું નિવેદન
"5 ટકા GST કરવા રજૂઆત કરી"
આવતીકાલ એટલે 1 જાન્યુઆરી 2022થી GSTના નવા દર લાગુ થવા થઈ રહ્યા છે ત્યારે ગુજરાતના કાપડ વેપારીઑને આ નિર્ણયનો સૌથી મોટો ફટકો પડ્યો છે. કપડાં પર GSTનો દર 5 થી વધારી 12% કરવામાં આવ્યો છે જેના પર રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન જરદોશનું વડોદરામાં મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે વેપારીઑની તરફેણમાં સરકાર વિચારશે તેવી રજૂઆત કરી હોવાની વાત કરી છે સાથે કહ્યું છે કે GST કાઉન્સિલની બેઠકમાં GSTનો દર વધાર્યો છે જે બેઠકમાં માં દરેક રાજ્યના નાણામંત્રી અને નાણાં સચિવ હાજર હોય છે જેમાં કોઈ રાજ્યએ વિરોધ ન કર્યો નથી. અમે 23 સ્ટેક હોલ્ડર સાથે મળી નાણામંત્રીને 5 ટકા GSTનો દર ફરી કરવા રજૂઆત કરી છે.GST કાઉન્સિલની બેઠકમાં વેપારીઓની તરફેણમાં નિર્ણય લેવાશે તેવી આશ્વાસન પણ આપ્યું છે.
'કેજરીવાલ દિલ્હીનું ધ્યાન રાખે ગુજરાતમાં બધુ બરોબર છે'
આ સાથે જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પણ નિશાન સાધતા કહ્યું છે કે દિલ્હીના મુખ્યમંત્રી માત્ર રાજનીતિ કરે છે, જે રાજ્યમાં ચૂંટણી હોય ત્યાંની જ વાત કરે છે જોવા જઈએ તો દિલ્હી કરતા ગુજરાતની હાલત સારી છે જેથી કેજરીવાલને દિલ્હીનું ધ્યાન રાખવાની જરૂર છે નહીં કે ગુજરાતનું
પ્રિ-વાયબ્રન્ટ સમિટીમાં સી.આર.પાટીલે શું કહ્યું હતું
સુરતમાં પ્રિ-વાયબ્રન્ટ સમિટીમાં સી.આર.પાટીલે નિવેદન આપતાં કહ્યું હતું કે, અમે કેન્દ્ર સરકાર સમક્ષ કાપડ પર જીએસટીના દર ઘટાડીને 5 ટકા જેટલા કરવા જોઈએ.આ અંગે અમે સાથે સરકાર સમક્ષ મળીને મક્કમતાથી રજૂઆત કરી છે. બીજી તરફ આ મામલે રાજ્યના મુખ્યમંત્રી આજે સરકારને પત્ર લખશે જેમાં કેન્દ્ર સરકારને જણાવાશે કે, સરકારે કાપડ પર 12 ટકા જીએસના બદલે 5 ટકા જીએસટી રાખવું જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું કે, કેન્દ્ર સરકારના સહયોગથી ખૂબ ઝડપથી સુરત નજીક ટેક્સટાઈલ પાર્ક બનાવાશે મહત્વનું છે કે,સ્પર્ધામાં ટકી રહેવા રિસોર્સિસનો ઉપયોગ કરવો જોઈએ
ગુજરાતભરના વેપારીઑ કરી રહ્યા છે વિરોધ
અમદાવાદના ટેક્ષ્ટાઈલ ઉદ્યોગમાં GSTમાં કરાયેલા વધારાને લઈને કાપડના વેપારીઓએ આકરા પાણીએ છે. ગુજરાતના અનેક ટેક્સટાઇલ વેપારીઓ અને આ ધંધાને લગતા સલગ્ન યુનિયનો GSTના વિરોધમાં બંધ પાળયો હતો. બંધમાં હોલસેલ, ગારમેન્ટ, રેડીમેઈડ બજારો જોડાશે. 1 જાન્યુઆરીથી કપડા પર GST 12 ટકાનો લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે પહેલા 5% હતો.
શું અસર થશે?
કાપડ પર લાગતા GST માં સરકારે 12 ટકા કરતા કાપડના વેપારીઓ રોષે ભરાયા હતા.GSTમાં થયેલા વધારાના કારણે રો મટેરિયલના ભાવ વધશે જેનાથી કપડાના ભાવમાં 20 થી 25 ટકાનો વધારો થશે. તેનાથી હોલસેલ અને રીટેઇલ વેપારીઓ માટે વર્કીંગ કેપીટલ વધારવાની ફરજ પડશે.કાપડ પર લાગતા GST કરાયેલા વધારાને લઈને સરકારમાં વિવિધ સ્તરે કાપડાના વેપારીઓએ રજૂઆત કરી છે.અગાઉ કાપડ ઉપર 5 ટકા GST લાગતો હતો જે વધારીને 12 ટકા કરવામાં આવ્યો હતો.
1 જાન્યુઆરી, 2022થી ઘણી વસ્તુઓના જીએસટીમાં રેટ વધશે
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) સિસ્ટમમાં 1 જાન્યુઆરી, 2022થી મોટા ફેરફારો થવાની તૈયારીમાં છે. તેમાં રેસ્ટોરન્ટ ક્ષેત્રમાં પૂરી પાડવામાં આવતી પરિવહન અને સેવાઓ પર ઇ-કોમર્સ સર્વિસ ઓપરેટરો પર કર જવાબદારીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ફૂટવેર અને ટેક્સટાઇલ સેક્ટરમાં ડ્યુટી સ્ટ્રક્ચરમાં પણ ફેરફાર 1 જાન્યુઆરી, 2022થી અમલમાં આવશે, જેમાં તમામ પ્રકારના ફૂટવેર પર 12 ટકા જીએસટી લાગશે, જ્યારે રેડીમેડ ગાર્મેન્ટ્સ સહિત તમામ ટેક્સટાઇલ પ્રોડક્ટ્સ (કોટન સિવાય) 12 ટકા જીએસટી લાગશે.