કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ પ્રયાગરાજમાં સંબોધન આપતા તેમના ડ્રીમ પ્રોજેક્ટની વાત કરી. જેમા તેમણે ત્રિવેણી સંગમ પર સી પ્લેન ઉતારવાની વાત કરી અને શેરડીના ઉત્પાદનથી ઈથેનોલ બનાવાની પણ વાત કરી હતી.
નિતિન ગડકરીએ પોતાના ડ્રીમ પ્રોજેક્ટ પર આપી માહિતી
થાંભલાઓના સહારે હવામાં બસો ચાલશે: ગડકરી
ત્રિવેણી સંગમ પર સી પ્લેન ઉતારવાનું મારુ સપનું :ગડકરી
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ મંગળવારે પ્રયાદરાજમાં ચૂંટણી પ્રચાર કર્યો. જેમા સિદ્ધાર્થ નાથ સિંહના સમર્થનમાં જનસભા આયોજિત કરવામાં આવી હતી. સભામાં નિતિન ગડકરીએ પોતાના ડ્રીમ પ્રોજેક્ટની વાત કરી જેમા તેમણે કહ્યું કે પ્રયાગરાજમાં હવામાં ચાલતી બસોનું સંચાલન કરવામાં આવશે.
થાંભલાઓ લગાવ્યા બાદ તેની પર બસો ચાલશે
નિતિન ગડકરીએ કહ્યું કે પ્રયાગરાજના રસ્તાઓ પર થાંભલાઓ લગાવ્યા બાદ તેના દ્વારા હવામાં બસો ચાલશે. આ પ્રોજેક્ટ માટે હાલ રિપોર્ટ બનાવામાં આવી રહી છે. સાથેજ તેમણે કહ્યું કે આ મામલે સમગ્ર ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદને જાણકારી આપી દેવામાં આવી છે.
ત્રિવેમી સંગમ પર સી પ્લેન ઉતરશે
વધુમાં તેમણે સભા સંબોધતા કહ્યું કે મારું એક સપનું છે કે ત્રિવેણી સંગમ પર સી પ્લેન ઉતરે. જેમા તેમણે કહ્યું દિલ્હીથી સી પ્લેન ઉડે અને સંગમ પર ઉતરે. ગડકરીના કહેવા પ્રમાણે આ પ્રોજેક્ટને લઈને બધી કાયદાકીય પ્રક્રિયાઓ પૂરી થઈ ગઈ છેચ. 18 સીટવાળું એક પ્લેન જેની કિંમત 18 કરોડ રૂપિયા છે. પ્રાયગરાજમાં એરપોર્ટ તો છે જ સાથેજ રિવરપોર્ટ પણ બનીને તૈયાર થશે. સાથેજ તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે છેલ્લા સાત વર્ષમાં 40 રીવર પોર્ટ બનાવ્યા છે.
શેરડી માંથી ઈથેનોલ બનાવાશે
કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે ઉત્તરપ્રદેશમાં મોટી સંખ્યામાં ખેડૂતો શેરડીની ખેતી કરે છે અને શેરડીથી ઈથેનોસ બને છે. હુ નવી નીતિ લાવ્યો છું જેમા ગાડીઓ હવે ફ્લેક્સ એન્જીનથી ચાલશે. હવે 110 રૂપિયા લીટર પેટ્રોલની જગ્યાએ 62 રૂપિયા લીટર ગ્રીન બાયો ઈથેનોલથી ગાડી ચાલશે અને તેનાથી પ્રદૂષણ ઓછુ થશે.
90 હજાર કરોડના ખર્ચે રોડના કાર્યો પૂર્ણ
ઉલ્લેખનીય છે કે નિતિન ગડકરીએ એવું પણ કહ્યું કે યુપીમાં 2014થી 20121 સુધી 90 હજાર કરોડની કિંમતે 4, 722 કિમી ખર્ચે રોડ નિર્માણના કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે. સાથેજ 1 લાખ 60 હજાર કરોડના ખર્ચે હજું કામો ચાલી રહ્યું છે. ઉપરાંત તેમણે કહ્યું યુપીમાં છેલ્લા 3 વર્ષમાં 26 હજાર કરોડ રૂપિયા ખેડૂતોને વળતર આપવામાં આવ્યું છે.