કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે ઉત્તરપ્રદેશ ગયા હતા ત્યારે તેમના ડ્રાઈવરનું ત્યા મોત થયું જેના કારણે તેમની મુશ્કેલી વધી ગઈ છે. કારણકે મૃતક ડ્રાઈવરના પરિવારજનોએ ગંભીર આક્ષપો કર્યા છે.
કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે ફરી વિવાદોમાં ફસાયા
લખનઉમાં તેમની ફરજમાં રોકાયેલા ડ્રાઈવરનું મોત
પરિવારજનોએ કર્યા હત્યાના આક્ષેપ
ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં સંપત્તિ વિભાગના ડ્રાયવરનું ફરજ પર હાર્ટ એટેકને કારણે મોત થયું છે. જે મામલે તેના પરિવારજનોએ આરોપ લગાવતા કહ્યું કે તેમણે મેડિકલ લીવ લીધી હતી તેમ છતા પણ તેમને મંત્રી નારાયણ રાણે સાથે ડ્યુટી પર મોકલવામાં આવ્યા. જેને લઈને પરિવારજનોએ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી છે જેતી પોલીસ કાર્યવાહી કરી રહી છે.
હાર્ટ એટેકથી મોત
મૃતક ડ્રાઈવર અશોક કુમાર વર્મા રાજ્ય સંપત્તિ વિભાગમાં ફરજ બજાવતા હતા. જ્યારે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે લખનઉ આવ્યા તો તેમને ફરજ પર બોલાવામાં આવ્યા. અને ફરજ દરમિયાનજ તેને હાર્ટ એટેક આવ્યો. જેથી અધિકારીઓએ તેમને તાત્કાલીક હોસ્પિટલ ખસેડ્યા જ્યા તેમનું મોત નિપજ્યું હતું.
સંપત્તિ વિભાગના ઈન્ચાર્જ સામે ગંભીર આક્ષેપ
સમગ્ર મામલે પરિવારજનોનું કહેવું છે કે તેમની તબિયત ખરાબ હતી જેના કારણે તેઓ મેડિકલ લીવ પર હતા. તેમ છતા જ્યારે નારાયણ રાણે આવ્યા તો તેમને બળજબરીથી ફરજ પર બોલાવામાં આવ્યા. આ મામલે પરિવારજનોએ સંપત્તિ વિભાગના ઈન્ચાર્જ અમરીશ શ્રીવાસ્તવ પર આરોપ લગાવ્યા છે.
મજબૂર કરીને ફરજ પર ડ્રાઈવરને બોલાવાયા
પરિવારજનોનું કહેવું છે કે અમરીશ શ્રીવાસ્તવે તેમને બળજબરીથી બોલાવ્યા હતા. સાથેજ તેમને સસ્પેન્ડ કરવાની ધમકી આપી હતી. જેને કારણે તેઓ મજબૂર થઈને ફરજ પર ગયા હતા. જ્યા તેમને હાર્ટ એટેક આવી ગયો.
પોલીસ પીએમ રિપોર્ટને આધારે તપાસ કરશે
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે પરિવારજનોએ હત્યાના આક્ષેપ કર્યા છે. બીજી તરફ પોલીસે પણ મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો છે. અને રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરશે. જોકે પરિવારજનો મીડિયામાં મંત્રી સુરેશ રાણાનું નામ આપી રહ્યા છે. પરંતુ તેમને નારાયણ રાણે માટે ફરજ પર પરત બોલાવામાં આવ્યા હતા.