કેન્દ્રીય MSME મંત્રી નારાયણ પાણેએ કુમારપ્પા નેશનલ હેન્ડમેડ પેપર ઈન્સ્ટીટ્યુટ, જયપુર દ્વારા વિકસિત અનુપમ એન્ટી-બેક્ટેરિયલ કપડાને લોન્ચ કર્યું છે.
બીમારીને ઘર સુધી લઈ આવી શકે છે તમારા કપડાં
ખાદીએ લોન્ચ કર્યા એન્ટી-બેક્ટેરિયલ કપડાં
કપડાંમાં બેક્ટેરિયાના વિકાસને રોકે છે
કપડાં પણ બીમારીને લઈને ઘરે સુધી આવે છે. ઘણી વખત આપણાં કપડાં પર ચોંટેલા બેક્ટેરીયા આપણને બીમાર કરી દે છે. પરંતુ માર્કેટમાં ખાદી એક એવું કપડું લોન્ચ કર્યું છે. જે જીવાણુઓથી તમને સુરક્ષિત રાખશે. કેન્દ્રીય MSME (Minister of Micro, Small and Medium Enterprises of India) મંત્રી નારાયણ રાણે (Narayan Rane)એ 26 નવેમ્બરે કુમારપ્પા નેશનલ હેન્ડમેડ પેપર ઈન્સ્ટીટ્યુટ, જયપુર દ્વારા વિકસિત અનુપમ એન્ટી-બેક્ટીરિયલ કપડાંને લોન્ચ કર્યા છે.
ગાયના ગોબરથી નિકળેલા એન્ટી-બેક્ટેરિયલ એજેન્ટથી કરવામાં આવી ટ્રીટમેન્ટ
કપડાંને ગાયના છાંણમાંથી કાઢવામાં આવેલા એન્ટી-બેક્ટેરિયલ એજેન્ટથી પ્રોટેક્ટ કરવામાં આવે છે. જે કપડાંમાં બેક્ટેરિયાના વિકાસને રોકે છે. રાણએ કહ્યું, આ અભિનવ કપડાં હોસ્પિટલો અને અન્ય ચિકિત્સા સુવિધાઓમાં ખૂબ કામ આવી શકે છે.
રાણેએ ગાયના છાંણથી બનેલા અભિનવ ખાદી પ્રકૃતિ પેન્ટ અને સંસ્થાન દ્વારા વિકસિત અનુપમ પ્લાસ્ટિક-મિશ્રિત હસ્તનિર્મિત કાગળના પણ વખાણ કર્યા છે. તેમણે કહ્યું આ બન્ને ઉત્પાદનોમાં પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન કરવાની સાથે, ગ્રામીણ રોજગાર સૃજિત કરવાની ખૂબ જ સંભાવનાઓ છે. તેમણે કહ્યું કે ખાદી પ્રકૃતિ પેન્ટને દેશના દરેક ગામ સુધી પહોંચાડવા અને તેને સ્થાપી રોજગારના મોડલના રૂપમાં લોન્ચ કરવા માટે દરેક સંભવ પ્રયત્ન કરશે.
ખાદીએ રજૂ કરી અનોખી મિસાલ
રાણેએ કહ્યું, ખાદી પ્રકૃતિ પેન્ટ એક અનોખુ ઉત્પાદન છે જે રોજગારની સાથે સાથે પર્યાવરણ સંરક્ષણના ઉદ્દેશ્યોની આ પૂર્તિ કરી શકે છે. આ પર્યાવણને અનુકૂળ અને ખર્ચ પ્રભાવી છે. તેમણે કહ્યું કે તેમના મંત્રાલયનો લક્ષ્ય દેશના દરેક ભાગમાં ખરીદી પ્રકૃતિ પેન્ટ એકમો સ્થાપિત કરવાનો છે. જે સરકારની ગ્રામીણ રોજગાર પહેલને પ્રોત્સાહન આપશે.