ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં ફરી મોટો ખેલ પાડવાની તૈયારીમાં છે, નારાયણ રાણેનો દાવો છે કે ભાજપની સરકાર બનવા જઈ રહી છે.
મહારાષ્ટ્રમાં ફરી નવા જૂનીના એંધાણ
ગઇકાલે અમિત શાહે કરી હતી બંધબારણે બેઠક
આજે કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ભાજપ સરકાર બની જશે
મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ભૂકંપ
મહારાષ્ટ્રમાં અત્યારે ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમાં ત્રણ ત્રણ પાર્ટીઓ ભેગી થઈને સરકાર ચલાવી રહી છે. શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસનાં આ ગઠબંધન પર અનેક વાર સવાલો ઊભા થતાં આવ્યા છે. એવામાં ભાજપનાં દિગ્ગજ નેતા અને મોદી સરકારના મંત્રી નારાયણ રાણેના એક નિવેદનથી ફરીવાર મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. રાણેએ એવો દાવો કર્યો છે કે મહારાષ્ટ્રની સરકારનું ટેન્શન વધી ગયું છે.
Uddhav Thackeray is unwell, so I don't want to talk about him... But the three-party Maha Vikas Aghadi govt will not be surviving for long in Maharashtra: Union Minister Narayan Rane (25.11) pic.twitter.com/Sm2W6ClCAn
રાણેનાં દાવાથી નેતાઓના છૂટી ગયા પરસેવા
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં માર્ચ મહિના સુધી ભાજપની સરકાર બની જશે. જે પણ થશે તે સારા માટે થશે. રાણે આ બધુ જયપુરમાં બોલ્યા પણ NCP ચીફ પવાર પોતાના તમામ કાર્યક્રમ રદ્દ કરીને તાબડતોબ દિલ્હી માટે રવાના થઈ ગયા છે. પવારની સાથે સાથે પ્રફુલ પટેલ પણ રવાના થયા છે. ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ પણ દિલ્હી પહોંચ્યા છે.
દિલ્હીમાં થઈ રહી છે ગુપ્ત બેઠકો
નોંધનીય છે કે ગઇકાલથી જ ભાજપનાં ઘણા બધા નેતાઓ દિલ્હી પહોંચી રહ્યા છે, ગઇકાલે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાન્ત દાદા પાટીલે ગૃહમંત્રી અમિત શાહ સાથે મીટિંગ કરી હતી, જોકે મીટિંગમાં દેવેન્દ્ર ફડણવીસ પહોંચી ન શક્યા, તે આજે BL સંતોષ સાથે બેઠક કરશે.
મહારાષ્ટ્રનાં સ્થાનિક મીડિયા અહેવાલોમાં ભાજપને લઈને અનેક સમાચાર વહેતા થયા છે, જોકે આ મુદ્દે કોઈ નેતાએ ખૂલીને નિવેદન આપ્યું નથી.