કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ પોલીસ પ્રત્યે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો, તેમણે પોલીસ અધિકારીઓને ગાળો પણ આપી.
કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ પોલીસને કહ્યા અપશબ્દો
એક યુવકની હત્યા બાદ મંત્રીએ પોલીસ સાથે કરી ફોનમાં વાત
મામલો બાડમેર જિલ્લાનો જણાવાઈ રહ્યો છે
કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ પોલીસને કહ્યા અપશબ્દો
કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીનો પોલીસ પ્રત્યે અભદ્ર ભાષાનાં ઉપયોગનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ પોલીસ અધિકારીઓને ગાળો આપી રહ્યા છે. વીડિયોમાં કેન્દ્રીય મંત્રી એસપી સાથે ફોનમાં વાત કરી રહ્યા છે અને તેમને લઈને અશોભનીય શબ્દોનો ઉપયોગ પણ કરી રહ્યા છે. ફોન પર વાતચીત દરમિયાન તેમણે ઘણી વાર ગુસ્સો કર્યો અને અપશબ્દ પણ બોલ્યા, બંનેની વાતચીતનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
જણાવાઈ રહયું છે કે આ મામલો બાડમેર જિલ્લાનો છે, જ્યાં બાલોતરામાં ગયા સોમવારે રાત્રે કાંકરી કોન્ટ્રાક્ટરના ગુંડાઓએ આસોતરા ગામ નજીક બાઇક સવાર યુવકને માર માર્યો હતો અને તેને કચડી નાખ્યો હતો. ત્યાર બાદ રોષે ભરાયેલા લોકો અને પરિજનોનાં બાલોતરા ડાક બંગલો કોમ્પ્લેક્સમાં ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન મંત્રી ત્યાં પહોંચ્યા હતા. વીડિયોમાં મંત્રી પોલીસ અધિકારીને ગાળો આપતા અને ડીએસપીને સસ્પેન્ડ કરવા તથા તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવાની વાત પણ કહી રહ્યા છે. સાથે જ તેઓ ફોન પર બાલોતરા ડીએસપી ધનફૂલ મીણાને પણ ગાળો આપી રહ્યા છે.
કેન્દ્રીય મંત્રીએ આપી પોલીસને ધમકી
મૃતકનાં પરિજનો અને રોષે ભરાયેલા લોકો બાલોતરા ડાક બંગલો કોમ્પ્લેક્સમા પ્રદર્શન પર પહોંચેલા કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરીએ ફોન પર પોલીસ અધિકારીને કહ્યું કે મેં તમને કેટલી વાર કહ્યું કે અમને આ ગુંડાઓથી બચાવી લો, અમારા લોકો રસ્તાઓ પર મરી રહ્યા છે.. ક્યારેક એક્સિડન્ટ તો ક્યારેક મર્ડર થઈ જાય છે, જેને ઈચ્છે તેને આ ગુંડાઓ ઠોકીને ચાલ્યા જાય છે.
તેમણે આગળ કહ્યું કે આજે એક વધુ વ્યક્તિ મૃત્યુ પામ્યો, હવે અમે મૃતદેહ નહીં ઉઠાવીએ, જ્યાર સુધી આ લોકો સામે કોઈ કાર્યવાહી નહીં થાય. આગળ તેમણે એસપીને કહ્યું કે મામલામાં ડીએસપીને સસ્પેન્ડ કરીને 302 લગાવી દો, આ જ અધિકારીને કારણે આ બધી ઘટનાઓ બની રહી છે. જોકે, 24 કલાકમાં પરિજનોની માંગો પર સહેમતી મળ્યા બાદ પ્રદર્શનનો અંત આવ્યો.
મંત્રીએ કહ્યું : કોણ આપે છે ઉપરથી આદેશ
મંત્રીએ આગળ કહ્યું કે હવે પાણી માથા પરથી પસાર થઈ ગયું છે, હું પરેશાન થઈ ગયો છું. તમને કેટલી વાર કહ્યું છે, આખરે આજે કોઈનો જીવ લઈ લીધો, બધા પ્રોફેશનલ લોકો છે, દરેક કાર્યકરના હાથમાં પિસ્તોલ હોય છે અને આ કૂતરાઓ સાથે કોણ લડે?
મંત્રીએ કહ્યું કે મેં ઘણીવાર અધિકારીને કહ્યું છે કે તુ શા માટે જઈ રહ્યો છે....(અપશબ્દ) સાથે તો કહ્યું કે ઉપરથી આદેશ છે, ખબર નહીં કોણ ઉપરથી તેનો બાપ આદેશ આપે છે.