કરતારપુર કોરીડોર (Kartarpur Corridor Inauguration)ને લઇને મોટા સમાચાર આવી રહ્યા છે. તેનું ઉદઘાટન 8 નવેમ્બરે પીએમ મોદી કરશે. કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે પોતાના ટ્વિટર અકાઉન્ટ દ્વારા તેની જાણકારી આપી. એમણે લખ્યું કે ગુરુનાનક દેવ જીના આશીર્વાદથી આખરે 'કરતારપુર સાહિબ'માં અરદાસનું સપનુ હવે હકીકતમાં બનતુ નજરે પડી રહ્યું છે.
એમણે લખ્યું કે ગુરુ સાહેબના દર્શન માટે મોદીજીનો આભાર જેમણે કોંગ્રેસના 72 વર્ષ પહેલા કરવામાં આવેલા જુઠ્ઠા વચનને ખોટું સાબિત કર્યું અને ગુરુ સાહેબના દર્શનના દ્વાર ખોલી દીધા.
With the blessings of Guru Nanak Dev ji, Sikh Panth’s ardaas for ‘khule darshan deedar’ of Sri Kartarpur Sahib to finally become reality !
On Nov 8th, history will be created with PM @narendramodi ji inaugurating the #kartarpurcorridor (ICP). 1/2 pic.twitter.com/wBHeTRZcma
નોંધનીય છે કે, 12 નવેમ્બરે શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવની 550મી જયંતી છે. આ પહેલા શીખ શ્રદ્દાળુઓ માટે આ એલાન ખુશ ખબર લઇને આવ્યા છે.
કરતારપુર કોરિડોર પાકિસ્તાનના કરતારપુરમાં બનેલા ગુરુદ્વારા દરબાર સાહિબને ભારતના પંજાબમાં ડેરા બાબા નાનકથી જોડશે. કરતારપુરના દરબાર સાહિબ વિશે શીખોની માન્યતા છે કે અહીં ગુરુ નાનક દેવે તેને 1522માં બનાવ્યું હતું અને અહીં એમણે પોતાનો અંતિમ સમય પસાર કર્યો હતો.
તેથી ભારતીય શીખ શ્રદ્ધાળુઓ માટે શ્રદ્ધાનું કેન્દ્ર માનવામાં આવે છે. જોકે, પાકિસ્તાને ગત ગુરુવારે સ્પષ્ટ કર્યું હતું કે આ કોરિડોરને ખોલવાની તારીખ હજુ નક્કી કરાઇ નથી. કેટલાક દિવસ પહેલા પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહે દેશના વડાપ્રધાન, પૂર્વ વડાપ્રદાન મનમોહન સિંહ, રાષ્ટ્રપતિ સહિત ઘણી પાર્ટીના નેતાઓને સર્વપક્ષીય જત્થામાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું હતું. ભારતે પોતાની તરફથી ઉદઘાટનની તારીખ જણાવી છે.